SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ ત્યાગ કર્યો નથી હોતો. તેમને અનિચ્છાએ ત્યાગ કરવો પડ્યો હોય છે. ફરી યોગ્ય અનુકૂળ તક મળે તો તેઓ સાંસારિક જીવન ભોગવવાની ઇચ્છા અંતરના ખૂણે ધરાવતા હોય છે. એવા દેખાતા ત્યાગીઓ તે સાચા ત્યાગી નથી હોતા. કેટલાક સાધુસંન્યાસીઓએ સ્વેચ્છાએ સ્થૂલ દષ્ટિએ ઘરબાર, માલમિલકત, સગાંસ્વજનોનો ત્યાગ કર્યો હોય છે. આરંભમાં એમનું ત્યાગજીવન પ્રશસ્ય હોય છે. પણ પછી એમના જીવનમાં વાસનાઓનો સળવળાટ થવા લાગે છે. પોતાને જે પ્રત્યક્ષ રીતે ભોગવવા ન મળ્યું તે પરોક્ષ રીતે ભોગવવામાં તેઓ રાચે છે, તેઓ તેનો કાલ્પનિક આનંદ માણે છે. નળ રાજાનો ભાઈ પુષ્કર નળની સાથે ઘૂત રમતાં હારી જઈ વનમાં જાય છે તો ત્યાં તે પોતાનું “માનસી રાજ્ય' ભોગવે છે. તે કલ્પનાએ ચડી જાય છે અને વનનાં પશુપંખીઓ, વૃક્ષો ઈત્યાદિમાં તે પોતાના રાજ્યના મંત્રીઓ, દરબારીઓ, પ્રજાજનોની કલ્પના કરે છે અને પોતે રાજ્ય ભોગવતો હોય એવો કાલ્પનિક આનંદ માણે છે. તેણે તનથી રાજ્ય છોડ્યું છે, પણ મનથી છોડ્યું નથી. એવી રીતે કેટલાક સાધુ- સંન્યાસીઓએ ધન, માલમિલકત, સ્ત્રી ઈત્યાદિ તનથી છોડ્યાં હોય છે, પરંતુ મનથી છોડ્યાં નથી હોતાં. એટલે જ એવા કેટલાક સાધુઓ પોતાના હસ્તક આવતી દાનની રકમ ઉપર,મંદિરની મિલકતના ટ્રસ્ટ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે છે. એમની આજ્ઞા પ્રમાણે, ઇચ્છા પ્રમાણે જ ધન ખર્ચાય છે. બેન્કની પાસબુક અને બીજા દસ્તાવેજો પર તેમની નજર ફર્યા કરે છે, હિસાબો રખાય છે. એમાં તેઓ રાચે છે. They enjoy the use of money by proxy. તેઓએ સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે, પણ કેટલીયે આજ્ઞાંકિત ભક્તાણીઓ ઉપરના પોતાના પ્રભુત્વને તેઓ મનથી મારો છે. તેઓના ચિત્તમાં ક્યારેક દુર્વિચારો ડોકિયાં કરી જતા હશે. કેટલાકે માલમિલકતનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ પોતાના ઉપદેશથી સ્થપાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy