SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧ ૨૩ જૈનોની સ્થિતિ ઘણી જ સારી છે અને છેલ્લા બે દાયકામાં શાકાહાર માટે સભાનતા વધી છે. વિદેશમાં વસતા કેટલાયે જૈનો શુદ્ધ શાકાહારી છે, મદિરાપાન કરતા નથી, એટલું જ નહિ ચોવિહાર કરે છે, ઉપવાસ આયંબિલ કરે છે, પર્યુષણમાં ઉપવાસ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરે છે. ધાર્મિક શિક્ષણના ત્યાં વર્ગો પણ ચાલે છે અને ધ્યાનની શિબિરો પણ યોજાય છે. - પર્યાવરણ એક એવી બાબત છે કે જેની સાચવણીમાં જૈન ધર્મનું યોગદાન ઠેઠ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી સૌથી વિશેષ રહ્યું છે. ઓછામાં ઓછું પાણી વાપરવું, અનાજનો બગાડ ન થવા દેવો, વૃક્ષો કાપવાં નહિ, વાહનનો મર્યાદિત ઉપયોગ કરવો, નાનાં જીવજંતુઓની પણ હિંસા ન થવા દેવી, રહેણીકરણીમાં અપરિગ્રહ કે અલ્પ પરિગ્રહના વ્રતને લીધે સંયમમાં રહેવું, કુદરતી શક્તિઓનો વિનાશ ન કરવો વગેરે દ્વારા જૈન ધર્મ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. જૈન સાધુઓ અને તેમાં પણ દિગંબર મુનિઓ તો પર્યાવરણની જાળવણીમાં આદર્શરૂપ ગણાય. જૈન સાધુ જેવું જીવન દુનિયામાં અન્ય કોઇ ધર્મમાં નથી. જૈન ધર્મ વિશેના ગ્રંથોની વિદેશોમાં આરંભમાં જેટલી મુશ્કેલી હતી તેટલી હવે રહી નથી. ત્યાં માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું રહ્યું છે. ત્યાં વસેલા જૂની પેઢીના માણસો અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા ગ્રંથો વાંચી શકે છે. પરંતુ નવી પેઢીને તો અંગ્રેજીમાં જ સાહિત્ય જોઇએ. છેલ્લા ચાર-પાંચ દાયકામાં ભારતમાં અને વિદેશોમાં અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ વિશે વિવિધ દષ્ટિબિન્દુથી લખાયેલા નાના મોટા ગ્રંથોની સંખ્યા વધતી ગઈ છે. ત્યાં કેટલાંક સેન્ટરોમાં જૈન ગ્રંથાલયો પણ થયા છે. અને હવે તો ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી સાંપડે છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy