SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ ૨ તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ યવ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છે: ત્રિરત્યે (પ.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ “કાળ'ના સ્વરૂપ વિશે ભિન્નભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે અને કેટલાક નહિ માનતા હોય. કાલ દ્રવ્યના ચાર મૂળ ગુણ છેઃ (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળ દ્રવ્યના ચાર પર્યાય છેઃ (૧) અતીત, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ. કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ-અનંતના ભાંગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાન્ત છે, અનાગત કાળ સાદિ અનન્ત છે, વર્તમાન કાળ સાદિ સાન્ત છે અને અગુરુલઘુ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળ દ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે. કાળ વિશે બીજો મત એવો છે કે કાળનાં અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શીધ્રગતિ અને મંદગતિવાળા હોય છે. શીઘ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશ-પ્રદેશમાંથી બીજા આકાશ પ્રદેશમાં જાય અને એમાં જેટલો કાળ લાગે તે સમયપર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં રહે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત દ્રવ્યરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy