SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૭ ‘દ્રવ્યસંગ્રહ’માં કહ્યું છે થાળ રામીડ્વ તે જાજાણ્ અસંવાળિ । કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ અપાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે અથવા સહકારી કારણ છે. એ દષ્ટિએ કાલ દ્રવ્ય ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચય કાળ દ્રવ્ય છે. કાલાણુ ‘સમય' પર્યાયને ઉત્પન્ન કરે છે અને ‘સમય' પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે. એક મત પ્રમાણે કાળ જેવી કોઇ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુદ્ગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ઘીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઇકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઇક મનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઇએ તો ઘડીકમાં પસાર થઇ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે. આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘડિયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતાવરણ તો એક સરખું જ હોય છે. કાળ જાણે ત્યાં તેટલો વખત સ્થગિત થઇ ગયો હોય એવું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy