SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । ૮૫ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવધે ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યૌવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा । तहा दुक्कर करेउं जे तारुण्णे समणत्तणं ॥ (જમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે.) ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓને છોડી દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાદંત નિભાવવાનું એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં દુષ્કર છે. સમાજની કુલ વસતિમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમ તેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે : वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy