SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ઝાંઝ, મંજીરાં વગેરેના ધ્વનિ સાથે, ગાતાં ગાતાં વાતાવરણને ગજવી મૂકવાનો અને એ રીતે પોતાના હૃદયોશ્વાસને પ્રગટ કરવાનો એમાં આશય હોય છે. સમૂહમાં ગવાતા આ કાવ્યપ્રકારમાં, ગાનારાઓ તાનમાં આવીને સ્વેચ્છાએ નૃત્ય પણ કરવા લાગી જાય છે. ધમાલમાં આ રીતે સમૂહનૃત્ય પણ હોય છે. ધ્રુવપદની એકની એક પંક્તિ અને તેવી રીતે બીજી કેટલીક પંક્તિઓ વારંવાર ગવાય છે. “ધમાલ”માં પંક્તિઓ ઓછી હોય છે, પણ એનું રટણ, આવર્તન વારંવાર થાય છે. ફાગુ કરતાં ધમાલમાં નાદ અને લયનું મહત્ત્વ વધારે હોય છે. ફાગુકાવ્યમાં શૃંગારરસનું નિરૂપણ થાય છે. પરંતુ મધ્યકાળમાં સંયમના આરાધક, બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક એવા જૈન સાધુ કવિઓએ આટલાં બધાં ફાગુકાવ્યો લખ્યાં એથી આશ્ચર્ય નથી થતું? પોતાની અતુમ વાસનાને વ્યક્ત કરવા માટે એમને ફાગુકાવ્યનું એક બહાનું મળ્યું એમ નથી લાગતું ? ના, જરા પણ નહિ, કારણ કે એમની ફાગુકૃતિઓમાં શૃંગારરસનું એવું નિરૂપણ જોવા મળતું નથી. એમની સંયમની આરાધનાને બાધક થાય એવી કોઈ વાત એમાં આવતી નથી. કેટલાંક ફાગુકાવ્યો તો “નારીનિરાસ”ના પ્રકારનાં છે. વસ્તુતઃ જૈન સાધુકવિઓ ફાગુકાવ્ય લખવા તરફ વળ્યા તેમાં કેટલાંકમાં કાવ્યસર્જનની પ્રેરણા કરતાં સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ રહેલી છે. વસંતઋતુને કામદેવની ઋતુ તરીકે ઓળખાવવામાં આવે છે. મદનોત્સવના આ દિવસોમાં વાતાવરણ એવું માદક બને છે કે જેમાં કામદેવને પોતાનાં આયુધો તીર્ણ કરવાની સરસ તક સાંપડે છે. એટલે જ વસંતઋતુ અને શૃંગારરસનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. પરંતુ ઔચિત્ય અને ગૌરવ એ શૃંગારરસના આભૂષણો છે. અન્ય રસના નિરૂપણ કરતાં શૃંગારરસના નિરૂપણમાં વધુ જોખમ રહેલું છે, કારણ કે રસનિરૂપણ કરનાર તાનમાં આવી જઈને ક્યારે મર્યાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy