SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કચરો વીણનારા ૩૧ એંઠવાડમાંથી ખાનારા ભૂખ્યા ગરીબ માણસો પણ ધરતી પર ઓછા નથી. રસ્તા પર રાખવામાં આવેલા કચરાના ડબ્બામાંથી દાણા વીણીને ખાનારા માણસો પણ ક્યાંક જોવા મળશે. સભ્ય સંસ્કૃતિને માટે કલંકરૂપ આવી ઘટનાઓ છે. એ નથી બનતી એવું નથી. ફેંકી દેવા લાયક કચરામાંથી વસ્તુઓ મેળવીને તેમાંથી કલાત્મક વસ્તુઓ બનાવનારો વર્ગ પણ દુનિયામાં ઘણે સ્થળે છે, પણ તેનો આશય નિરાળો છે. જૂની-પુરાણી ચીજ વસ્તુઓની લે-વેચનું ક્ષેત્ર પણ અત્યંત વિશાળ છે. તેનો વિષય પણ મોટો છે. અહીં તો આપણે ફેંકી દેવાયેલો કચરો વીણીને આજીવિકા રળનાર (Rag-Pickers) વિશે થોડું વિચારીશું. આ વિશ્વમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાની શક્તિ અને પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે અને દરેકને એનાથી સંતોષ રહે એવું બનવાનું શક્ય નથી, કારણ કે તક કરતાં ઉમેદવારો હંમેશાં વધુ રહેવાના અને ઇચ્છામાં વધઘટ થતી રહેવાની. અસંખ્ય લોકોને તો આજીવિકા મળી, બેકાર નથી બેસી રહેવું પડતું એટલી વાત પણ સંતોષ-સમાધાન કરાવનાર નીવડે છે. માણસનો રસનો વિષય એક હોય ને વ્યવસાયનું ક્ષેત્ર ભિન્ન હોય એવું અનેક લોકોની બાબતમાં બનતું રહે છે. થોડાક ભાગ્યશાળી માણસોને પોતાનાં રસરુચિ, ઇચ્છા, પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે છે અને એનો એમને પરમ સંતોષ પણ હોય છે. આર્થિક દૃષ્ટિએ પછાત દેશોમાં જ્યાં અનેક લોકોને નોકરી ધંધો ન મળતાં, આજીવિકાનું સાધન પ્રાપ્ત ન થતાં બેરોજગાર બનીને બેસી રહેવું પડે છે, ભીખ માગવી પડે છે, ચોરી લૂંટફાટનો આશ્રય લેવો પડે છે, આપઘાત કરવો પડે છે ત્યાં પરિસ્થિતિ બહુ વિષમ હોય છે. માણસ સશક્ત હોય, કામ કરવા માટે ઉત્સુક હોય ને છતાં રોજી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy