SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ મળતી હોય એ વખતનું નૈરાશ્ય તો જેણે અનુભવ્યું હોય તેને જ વધુ સમજાય. સુશિક્ષિત માણસોની આવા કપરા કાળની સંવેદના વધુ ઘેરી હોય છે. જ્યાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ હોય છે. પેટનો ખાડો પૂરો કરવા માટે ગમે તેવું હલકું, ગંદુ, જોખમભરેલું કામ માણસ સ્વીકારી લે છે અને પછી એનાથી ટેવાઈ જાય છે. - માણસ ઘરબાર વગરનો હોય, લાચાર હોય, ભૂખે મરતો હોય તો એ આજીવિકા મેળવવા માટે કચરામાંથી પણ બીજા કોઈકને કામ લાગે એવી વસ્તુ શોધી કાઢે છે, એકઠી કરે છે અને એ વેચીને નજીવી કમાણી કરી લે છે. બેસી રહેવું અને ભૂખે મરવું એના કરતાં એટલું કરીને પણ પેટ ભરવું એ સારું છે એમ તે સમજે છે. દરેક દેશમાં દરેક વખતે ક્યરાને લગતા આવા જુદા જુદા કામધંધા લોકો શોધી કાઢે છે. લશ્કરી તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતી વખતે - રાઈફલ કે મશીનગનના ફાયરિંગ પછી એ જગ્યાએ ફૂટેલાં કારતૂસોના ધાતુના ઝીણા ટુકડા વીણવા માટે આસપાસના ગરીબ સ્ત્રીપુરુષો જાનના જોખમે પડાપડી કરતાં હોય. રોજેરોજ એકઠ કરેલા ધાતુના ટુકડા પછી ભંગારવાળાને તેઓ વેચીને ગુજરાન ચલાવતા હોય છે. કોલસાથી ચાલતા રેલવેના એન્જિનોમાંથી પડેલી કોલસાની ભૂકી કે રાખ વીણનારા પણ કેટલા બધા હોય છે ! ઢોરોનું છાણ વણી છાણાં થાપનારાં માણસો હજુ પણ વસે છે. જૂના વખતમાં ધૂળધોયાનો ધંધો કરનારા માણસો ઘણા ગામોમાં રહેતા. આજે પણ એવો વ્યવસાય કરનારા ક્યાંક ક્યાંક હોય છે. તેઓ જ્યાં સોના-ચાદીનું કે મોતી-ઝવેરાતનું કામ થતું હોય એ રસ્તા પરથી ધૂળ તગારામાં એકઠી કરી લે છે અને પછી તળાવ કે નદી કિનારે જઈ એમાં પાણી નાખી ધીમે ધીમે નીતારતા જાય છે. ધૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy