SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧ ૧૫ - સરકારી ખાતામાં બઢતી પામતાં પામતાં ડૉ. ભાનુશંકર અધ્વર્યુને મુંબઈ ઈલાકાના આંખના મુખ્ય સસ્પેન તરીકે સ્થાન મળ્યું. અંગ્રેજોના વખતમાં પહેલી જ વાર એક ભારતીય નાગરિકને આ સ્થાન અપાયું. આ માન જેવું તેવું નહોતું. તેઓ એ માટે ત્રણ વર્ષ મુંબઈમાં રહ્યા હતા. એમની સરકારી કારકિર્દીનો આ એક ઉત્તમ કાળ હતો. ભારતને આઝાદી મળી ત્યારે ડૉ. ભાનુશંકર હજુ સરકારી નોકરીમાં જ હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ. (ત્યારે મુંબઇનું જુદું રાજ્ય હતું જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં નહોતાં.) એ વખતે શેઠ વીરચંદ પાનાચંદ શાહ નામના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તાની સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી અને આરોગ્ય ખાતાના મંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી. શ્રી વીરચંદ પાનાચંદ શાહ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ૪૭ કિલોમિટર દૂર આવેલા જામ સમઢિયાળા નામના નાનકડા ગામના વતની હતા. દેશી રાજ્યના તાબાનું એ ગામ હતું. ગાંધીજીનાં ગ્રામસેવાનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે પોતાના ગામમાં ગામસુધારણા મંડળીની રચના ૧૯૩૩માં કરી હતી. ત્યારપછી આ મંડળીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં જામ સમઢિયાળામાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી. દેશી રાજ્યનું એક નાનું ગામડું હોવાથી એની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું, પરંતુ એ ગ્રામ વિસ્તારમાં બીજી કોઇ હોસ્પિટલ ન હોવાથી એની જરૂરિયાત લોકોમાં ઉત્તરોત્તર વધતી જતી હતી. ડૉ. ભાનુશંકર અધ્વર્યુ ઇ.સ.૧૯૫૧માં બદ્રીકેદારની યાત્રાએ જતાં ઋષિકેશ ગયા હતા. ત્યાં શિવાનંદ આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના પ્રત્યક્ષ સંપર્કમાં તેઓ આવ્યા. અગાઉ મુંબઈમાં તેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy