SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ થોડા દિવસ મુક્તિ મળે, ગંગાના પવિત્ર કિનારે પવિત્ર પર્વના દિવસો પસાર થાય, થોડી યોગસાધના થાય અને આશ્રમ સાથેનું પોતાનું અનુસંધાન સતત ચાલુ રહે. આશ્રમમાં એમનું પોતાનું ઘર છે. એ ઘર પણ પાછું વ્યવસ્થિત થઇ જાય. ઋષિકેશ જવા માટે બાપુજીને ટ્રેનની મુસાફરી કરતાં મોટરકારની મુસાફરી વધુ પસંદ પડે, કારણ કે યથેચ્છ જઇ શકાય. એકાદ બે દિવસ આગળપાછળ કરવા હોય કે એકબે વ્યક્તિ વધારે-ઓછી સાથે લેવી હોય તો લઇ શકાય. ૧૧૦ ટ્રેનના રિઝર્વેશનમાં પડતી તકલીફને લીધે આમ કરવું જરૂરી તો ખરું જ, પણ મોટરકારના પ્રવાસની મઝા જુદી. રસ્તામાં મિત્રોને, પરિચિતોને મળવું હોય તો મળતા જવાય. એમના ડ્રાઇવર પણ એવા હોંશિયાર અને રસ્તાઓના ભોમિયા. હજાર કિલોમિટર કરતાં વધુ લાંબા મોટરકારના પ્રવાસથી બાપુજી ટેવાઇ ગયા હતા. નેત્રયજ્ઞોને નિમિત્તે અને અન્ય કાર્યક્રમોને નિમિત્તે બાર મહિને એક લાખ કિલોમિટર કરતાં વધુ પ્રવાસ તેઓ મોટરકારમાં કરતા રહ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૯૮ના બીજા અઠવાડિયામાં હું અને મારાં પત્ની તારાબહેન સાયલાના રાજસોભાગ આશ્રમમાં હતાં. એ આશ્રમમાં દર મહિનાની ૧૪મી તારીખે શિવાનંદ મિશન દ્વારા નેત્રનિદાન શિબિર અને ૧૪મી જાન્યુઆરીએ નેત્રયજ્ઞનું આયોજન થાય છે. આ વખતે ૧૪મી સપ્ટેમ્બરે અમે આશ્રમમાં હતાં એટલે પૂ. બાપુજી-ડૉ. અધ્વર્યુ સાહેબને વીરનગરમાં મળવાની અમારી ભાવના હતી. ડૉ. અધ્વર્યુ સાહેબે એક દાક્તર બહેન સાથે સંદેશો મોકલાવ્યો એટલે તે દિવસે અમે સાયલાથી વીરનગર પહોંચ્યાં અને રાત ત્યાં રોકાયાં. બાપુજીનું આ છેલ્લું પ્રત્યક્ષ મિલન અમારે માટે છે એવી ત્યારે કલ્પના નહોતી. બાપુજી સશક્ત હતા અને ઉંમરને કારણે આંખે ઓછું દેખાતું હતું છતાં બધું કામ બરાબર નિયમિત કરતા હતા. શિવાનંદ પરિવારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy