SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ સમગ્ર રાષ્ટ્ર જેમને માટે ગૌરવ અનુભવી શકે એવા, ગુજરાતની એક મહાન વિભૂતિ સમા ડૉ. શિવાનંદ અધ્વર્યુ (પૂ. સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી) દિવાળી પછી ભાઇબીજના દિવસે તા. ૨૨મી ઓક્ટોબર ૧૯૯૮ના રોજ સાંજે ઋષિકેશમાં શિવાનંદ આશ્રમમાં ૯૨ વર્ષની વયે દેહ છોડી બ્રહ્મલીન થયા. એમના જવાથી ગુજરાત પોતાનું એક નરરત્ન ગુમાવ્યું છે. બીજે દિવસે સવારે ગંગાતટે એમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના અંતિમ સમયે એમનાં સ્વજનો-એમનાં પત્ની જયાબહેન (મૈત્રેયીદેવી), પુત્રી ઉષાબહેન, એમનાં પુત્રીસમ કાયમંત્રી અનસૂયાબહેન વગેરે પાસે હતાં. સ્વામીજીનું આ જાણે ઈચ્છામૃત્યુ હતું. તેઓ ઋષિકેશમાં પોતાના આશ્રમમાં સ્વામી ચિદાનંદજીના સાંન્નિધ્યમાં ગંગાકિનારે દેહ છોડવા ઇચ્છતા હતા અને એ પ્રમાણે જ થયું. જાણે એ માટે જ તેઓ વિરનગરથી ઋષિકેશ પરિવાર સાથે ગયા હતા. સૌરાષ્ટ્રમાં વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલના સૂત્રધાર, નેત્રયજ્ઞો દ્વારા અને હોસ્પિટલોમાં આંખના ત્રણ લાખથી વધુ ઓપરેશન મફત કરનાર, વિવિધ પ્રકારની વિદ્યાકીય પ્રવૃત્તિઓના સંયોજક, કુશળ વહીવટકર્તા, અનેક સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ વગેરે સાથે આત્મીયતાભર્યો સંબંધ ધરાવનાર, મહાન યોગસાધક ડૉ. શિવાનંદ અધ્વર્યુ (સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી)ને છેલ્લાં ઘણાં વર્ષોથી અમારી જેમ સૌ “બાપુજી' કહીને બોલાવતા. બાપુજી જેવું વાત્સલ્ય એમના સાનિધ્યમાં હંમેશાં અનુભવવા મળતું. છેલ્લાં કેટલાંયે વર્ષથી બાપુજી દર વર્ષે દિવાળી ઋષિકેશના શિવાનંદ આશ્રમમાં જ ઊજવતા. તેઓ કહેતા કે ત્યાં જવાથી સ્થાનિક ધાંધલમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy