SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. લાડકચંદભાઈ વોરા ૪૫ તીર્થયાત્રા પણ બાપુજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એટલે આશ્રમ તરફથી વખતોવખત તીર્થયાત્રાનું આયોજન થતું. છેલ્લાં બેએક વર્ષમાં તેમને અવારનવાર તાવ આવતો અને માંદગી રહેતી તે સિવાય તેઓ હંમેશાં અમે જ્યારે સાયલા આશ્રમમાં ગયાં હોઈએ ત્યારે પાસે આવેલા ડોળિયાની યાત્રાએ અચૂક લઈ જતા. ડોળિયા જવા માટે તો આશ્રમમાંથી જ સવારે પૂજાનાં કપડાં પહેરીનૈ જતાં અને દોઢબે કલાકમાં પાછાં આવી જતાં. બાપુજીને અમારે માટે કેટલી બધી લાગણી હતી તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થતો. શિક્ષામૃત”નું કાર્ય ચાલતું હતું તે દરમિયાન એક દિવસ બાપુજીએ સ્વાધ્યાયના કાર્યક્રમ દરમિયાન મને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસારના થોડા શ્લોકો સમજાવવાનું કાર્ય સોંપ્યું. આશ્રમ તરફથી પ્રકાશિત “અધ્યાત્મસાર” (વીરવિજયજીના ટબા સહિત)ના ગ્રંથમાં એટલી બધી છાપભૂલો રહી ગઈ હતી કે જુદું શુદ્ધિપત્રક છપાવવું પડ્યું હતું અને એમાં પણ કેટલીક અશુદ્ધિઓ રહી ગઈ હતી. “અધ્યાત્મસાર'ના સ્વાધ્યાય પછી બાપુજીએ મને એના વિશે નવેસરથી અનુવાદ અને વિવરણનો ગ્રંથ તૈયાર કરી આપવા માટે કહ્યું. મેં એ માનદ્ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. કામ ધાર્યા કરતાં ઘણું મોટું અને ઠીક ઠીક સમય માંગી લે એ પ્રકારનું હતું. તો પણ સવા ત્રણસો શ્લોકનું લખાણ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવાનું મેં નક્કી કર્યું કે જેથી એટલા શ્લોક પર બાપુજીની નજર ફરી જાય. એ પ્રમાણે થયું અને એમની હયાતીમાં જ પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને એને એમણે આશ્રમમાં સ્વાધ્યાય-વાંચનમાં દાખલ પણ કરી દીધો. મારે માટે આ પરમ સંતોષ અને આનંદની વાત હતી. ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દષ્ટએ પુનપ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy