________________
સ્વ. લાડચંદભાઈ વોરા
૪૧
અનુભવને આધારે તથા આંતરસૂઝથી, વ્યવહારદક્ષતા અને દીર્ઘદષ્ટિપૂર્વક કેટલાક નિયમો કરાવ્યા હતા. બાપુજીએ આશ્રમની સ્થાપનાની પ્રેરણા આપી, પરંતુ એનું ટ્રસ્ટીપદ સ્વીકાર્યું નહિ, વ્યવસ્થામંડળમાં જોડાયા નહિ. પોતે આશ્રમમાં સવારે નવથી સાંજે પાંચ-સાડા પાંચ સુધી રહેવાનું સ્વીકાર્યું. આશ્રમને પોતાનું કાયમી નિવાસસ્થાન ન બનાવતાં રાત્રે રહેવાનું (ઉત્સવના પ્રસંગો સિવાય) પોતાના ઘરે જ રાખ્યું. આશ્રમ ઉજ્જડ ન બની જાય એ માટે ટ્રસ્ટીઓને વારાફરતી પંદર દિવસ આશ્રમમાં રહેવાનું ફરજિયાત બનાવ્યું. સાધકોને વિશિષ્ટ સાધના માટે સળંગ બારપંદર દિવસ આશ્રમમાં રહેવાની ભલામણ થવા લાગી. સાધારણ સ્થિતિના સાધકોને પણ આશ્રમમાં વધુ દિવસ રહેવાનું પરવડે એ માટે, સરખું નિભાવકુંડ કરાવી, રહેવા જમવાના ખર્ચ પેટે નજીવી રકમ લેવાનું ઠરાવ્યું અને આશ્રમના નિયમો એટલા બધા કડક ન રાખવામાં આવ્યા કે જેથી સાધક કંટાળીને ભાગી જાય. આશ્રમ જીવંત રહેવો જોઇએ એ એમની મુખ્ય ભાવના હતી. એટલા માટે એમણે પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારીઓ તરીકે સૌ, ડૉ. સદ્ગુણાબહેન સી. યુ. શાહની તથા શ્રી નલિનભાઇ કોઠારીની નિમણૂક કરી દીધી અને તે પછીના ઉત્તરાધિકારી તરીકે બહેન મીનળ રોહિત શાહ અને ભાઇ વિક્રમ વજુભાઈ શાહની પણ નિમણૂક કરી દીધી હતી કે જેથી સુદીર્ઘ કાળ સુધી વિસંવાદ વિના આશ્રમની પ્રગતિ થતી રહે.
બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવાકરાવવા માટે તેઓ સ્વસ્થ થઇ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઇ જતી. સોભાગભાઇના દેહવિલયનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનું આશ્રમ તરફથી નક્કી થયું, પરંતુ સમારંભ પહેલાં જ બાપુજીને તાવ આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org