SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ રામકથાની સર્વસ્વીકત વ્યાપકતા પાતાળલોકાર લોકની એક સેવિરામ સજા કરે છે. એટલે રાવણ સિંહલદ્વીપ પહોંચી, તપશ્ચર્યા કરી અલ્લાહ પાસેથી દેવલોક, નાગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ચાર લોક પર રાજ્યાધિકાર મેળવે છે અને ચારે લોકની એક એક કન્યા સાથે લગ્ન કરે છે. એ દરેકથી એને એક એક પુત્ર થાય છે. “સેરિરામ' પ્રમાણે દશરથને બે જ રાણીઓ છે અને પુત્રો ચાર છે. તથા એક પુત્રી શાન્તા છે. આ ઉપરાંત પણ એમાં ઘણી બધી ઘટનાઓ જુદી છે અને કેટલાંક નામો પણ જુદાં છે. સેરિરામ' ઉપરથી “પાતાની રામકથા', “સેરતકાંડ' વગેરે રચનાઓ થયેલી છે. કંબોડિયામાં રામકથા. કંબોડિયાની જૂની રાજધાની તે અંકોરવાટ. ત્યાં ૧૧મીથી ૧૨મી સદીમાં એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એની દીવાલો ઉપર રામાયણ, મહાભારત અને હરિવંશની કથાઓ ચિત્રાંકિત કરવામાં આવી હતી. કંબોડિયાની ખેર ભાષામાં “રેઆમ-કેર” (અર્થાત રામની યશગાથા) નામનું રામાયણ લખાયું છે. તેની ખંડિત હસ્તપ્રત મળે છે એટલે કેટલોક ભાગ એમાં નથી. એની કથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞથી થાય છે. વિશ્વામિત્રના આ યજ્ઞમાં એક અસુર કાગડા રૂપે ત્રાસ આપે છે એટલે એને મારવા વિશ્વામિત્ર રામલક્ષ્મણને બાણ આપે છે. રેઆમ-કેરમાં સીતા જનકરાજાની દત્તકપુત્રી છે. રામે સીતાના કરેલા ત્યાગ પછી તે વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને પ્રતિજ્ઞા લે છે કે રામના મૃત્યુ પછી અંત્યેષ્ટિક્રિયા વખતે જ તે અયોધ્યા પાછી ફરશે. પરંતુ ખોટી ચિતા તૈયાર કરાવી રામ, હનુમાન દ્વારા સીતાને સંદેશો મોકલાવે છે. એથી સીતા અયોધ્યા આવે છે અને ચિતા નજીક જતાં જતાં વિલાપ કરતી મૂર્શિત થઈ જાય છે. ત્યારે રામ એને ખોળામાં લઈ સાંત્વન આપે છે. જાગૃત થયેલી સીતા જાણે છે કે આ તરકટ કરવામાં આવ્યું છે ત્યારે તે રામને બહુ ઠપકો આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy