SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૯ નહોતું. વસ્તુતઃ ભોજન માટેનાં નિમંત્રણોને તેઓ પહોંચી શકતા નહિ. કોઈક ને કોઈક ઘરે એમનું જમવાનું ગોઠવાઈ જ ગયું હોય. એ બતાવે છે કે એમનો શિષ્યવર્ગ અને ચાહક વર્ગ કેટલો બધો વિશાળ અને ભાવવાળો હતો. એમની સુવાસ કેટલી બધી પ્રસરેલી હતી. ખંભાતના કેટલાક શ્રેષ્ઠીઓ સાથે એમને ઘર જેવો સંબંધ થઇ ગયો હતો. કેટલાયે મિત્રો એમને પોતાને ઘરે રહેવા બોલાવતા. કેટલાક પ્રવાસમાં કે તીર્થયાત્રામાં એમને સાથે લઈ જતા. અમારી વિનંતીને માન આપી પનાભાઈ એક અઠવાડિયું અમારે ઘરે પણ રહેવા આવ્યા હતા. એ અઠવાડિયા દરમિયાન એમના સતત સહવાસનો અમને લાભ મળ્યો. એ સમયમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “દ્રવ્યગુણપર્યાયનો રાસ” તેઓ અમને સમજાવતા હતા. અલબત્ત, આખો રાસ પૂરો ન થયો, તો પણ એમની પાસેથી તત્ત્વની ઘણી સારી સમજણ સાંપડી હતી. છેલ્લાં કેટલાંયે વર્ષથી પનાભાઈ પૂનમની શંખેશ્વરની યાત્રા કરતા. પૂનમની શંખેશ્વર તીર્થની યાત્રા કરનાર એક મંડળમાં પનાભાઈ જોડાઈ ગયા હતા. બે દિવસના ત્યાંના રોકાણમાં તેઓ પૂજા કરે અને જેઓને રસ હોય તેઓને સ્વાધ્યાય કરાવે. આમ વર્ષો સુધી એમણે પૂનમે શંખેશ્વરની યાત્રા કરી હતી. એકવાર પનાભાઈ સાથે હું શંખેશ્વરની પૂનમની યાત્રાએ ગયો હતો. એ વખતે પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ શંખેશ્વરમાં બિરાજમાન હતા. અમે એમને વંદન કરવા ગયા. પનાભાઈ સાથે દોઢ બે કલાક જ્ઞાનગોષ્ઠી ચાલી. તે વખતે જણાયું હતું કે પ. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજને પનાભાઈ માટે અત્યંત આદર છે. તેઓ જ્યાં ચાતુર્માસ હોય અને અનુકૂળતા હોય તો પોતાના શિષ્ય-શિષ્યાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy