SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૩૯ માટે જોઈતી સંયમની તેટલી વિશુદ્ધિ અને આત્માની તેવી શક્તિ આ કાળમાં જણાતી નથી. દિગંબર ગ્રંથ મહાપુરાણમાં એવું વર્ણન આવે છે કે ભરત ચક્રવર્તીને પરિમંડળથી ઘેરાયેલો ચંદ્ર સ્વપ્નમાં દેખાય છે. તેનો અર્થ કરતાં ઋષભદેવ ભગવાન કહે છે કે પંચમ કાળમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન કોઈને નહીં થાય એમ તે સૂચવે છે. બીજી બાજુ “તિલોયપણતિ” ગ્રંથમાં કહેવાયું છે કે દુષમકાળમાં અમુક હજાર વર્ષે જ્યારે જ્યારે સાધુઓની ગોચરી ઉપર કરવેરા નખાશે અને સાધુઓ ગોચરી વાપર્યા વિના તે પ્રદેશ છોડીને ચાલી નીકળશે ત્યારે તેમાંના કોઈ એક સાધુને અવધિજ્ઞાન થશે એટલે કે હજારો વર્ષે એકાદ જણને અવધિજ્ઞાન થાય તો થાય. વર્તમાનમાં કોઈક મહાત્માઓને અવધિજ્ઞાન થયું છે એવી વાત સાંભળીએ છીએ, પરંતુ તે માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. કેટલાક વચનસિદ્ધ મહાત્માઓનાં વચન કે વર્ણન સાચાં પડે છે, પરંતુ વચનસિદ્ધિ અને અવધિજ્ઞાનને એક માની લેવાની ભૂલ ન થવી જોઈએ. અવધિજ્ઞાનીનું તે જ્ઞાનના ઉપયોગ દ્વારા કહેલું વચન અવશ્ય સત્ય હોય છે, પરંતુ વચનસિદ્ધિ હોય ત્યાં અવધિજ્ઞાન હોય જ એમ માની ન લેવું જોઈએ. કેટલાક મહાત્માઓએ કરેલી આગાહી સાચી પડતી હોય છે. આવી કેટલીક આગાહી માત્ર અનુમાનથી જ કરેલી હોય છે. અનુમાન એ ચિત્તનો વ્યાપાર છે. કેટલાકની અનુમાનશક્તિ નિર્મળ હૃદય, તીવ્ર અવલોકનશક્તિ તથા તર્ક વગેરેને કારણે એટલી બધી સરસ હોય છે કે તેઓ તેને આધારે જે કહે તે સાચું પડતું જણાય. તેવી રીતે કેટલીક વ્યક્તિઓ આંતરસ્કુરણા (Intution)ને આધારે આગાહી કરતી હોય છે અને એવી આગાહી પણ સાચી પડતી હોય છે. પરંતુ અનુમાનશક્તિને આધારે કે આંતરસ્કુરણાને આધારે કરેલી આગાહીને અવધિજ્ઞાન માનવાની ભૂલ ન કરવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં બનેલી, બનતી કે બનનારી ઘટનાને પોતાની કલ્પના વડે આંતરચક્ષુ સમક્ષ ખડી કરી શકે છે, તે પ્રમાણે વર્ણવે છે અને એ કેટલીકવાર સાચી ઠરે છે, પરંતુ એવી રીતે કરેલો માનસિક કલ્પના વ્યાપાર ગમે તેટલો તાદશ હોય તો પણ તે અવધિજ્ઞાન નથી. અનુમાનશક્તિ, કલ્પનાબાપાર ઇત્યાદિ મનની મદદથી થાય છે. મતિજ્ઞાનનો એ વિષય બને છે. એને અવધિજ્ઞાન માની ન શકાય. કેટલાક મહાત્માઓની ચમત્કારશક્તિને ઉપસાવવા એમના શિષ્યો કે અનુયાયીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy