SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જિનતત્ત્વ આમ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી જેટલું જેટલું દેખે અને જાણે તે દરેકનો જુદો જુદો એક એક ભેદ ગણીએ તો અવધિજ્ઞાનના અસંખ્યાત ભેદો છે એમ કહેવાય. એટલે જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : संख्याइयाओ खलु ओहिन्नाणस्स सवपयडीओ । काई भव पच्चइया खओवसमियाओ काओअवि ।। અવધિજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ (સર્વ ભેદો) સંખ્યાતીત અર્થાત્ અસંખ્ય છે. કેટલાક ભેદો ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમ પ્રત્યાયિક છે. આમ, ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એવા બે મુખ્ય પ્રકારોના પેટા પ્રકારોનો વિચાર કરતાં ઠેઠ અસંખ્યાતા ભેદ કે પ્રકારો સુધી પહોંચી શકાય. જો અવધિજ્ઞાનના આ રીતે અસંખ્યાતા પ્રકારો હોય તો એ બધાનું વર્ણન કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. એટલા માટે નિર્યુક્તિકાર કહે છે : कत्तो मे वण्णे सत्ती ओहिस्स सबपयडीओ ? (અવધિજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ વર્ણવવાની મારામાં શક્તિ ક્યાંથી હોય ?) ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કોઈકનું અવધિજ્ઞાન સ્થિર રહે અને કોઈકના અવધિજ્ઞાનમાં પોતપોતાના ક્ષયોપશમ અનુસાર વધઘટ પણ થાય. એકંદરે સર્વવિરતિધર એવા સાધુઓના અવધિજ્ઞાનને ક્ષેત્રાદિની દૃષ્ટિએ અવકાશ વધુ રહે. તેમ છતાં કોઈ ગૃહસ્થ શ્રાવકને કોઈ સાધુ કરતાં વધુ અવધિજ્ઞાન ન સંભવી શકે એવું નથી. ગૌતમસ્વામી અને આનંદ શ્રાવકનો પ્રસંગ એ માટે જાણીતો છે. આનંદ શ્રાવકે દીક્ષા નહોતી લીધી પણ ધર્મારાધના તરફ તેમનું જીવન વળ્યું હતું. કુટુંબની જવાબદારી પુત્રને સોંપી પોતે પૌષધશાળામાં ધર્મધ્યાનમાં સમય વીતાવતા હતા. એમ કરતાં એમણે આમરણ અનશન વ્રત સ્વીકાર્યું. એ વખતે ભગવાન મહાવીર પોતાના ગણધરો અને શિષ્યો સાથે વાણિજ્યગ્રામ પધાર્યા હતા. ગૌતમસ્વામી છઠ્ઠના પારણા માટે બપોરે ગોચરી વહોરવા નીકળ્યા હતા. રસ્તામાં એમને થયું કે, “આનંદશ્રાવકની શાતા પૂછવા માટે પૌષધશાળામાં પણ જોઈ આવું.' તેઓ ત્યાં ગયા. આનંદ શ્રાવક અનશનને લીધે અશક્ત થઈ ગયા હતા. ગૌતમસ્વામીને આવેલા જોઈ તેમને અત્યંત હર્ષ થયો. તેમણે ગૌતમસ્વામીને વંદન કર્યા. પછી પોતાને થયેલા અવધિજ્ઞાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy