SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જિનતત્ત્વ (૨) અનનુગામી – જે સ્થાનકે જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનકમાં એ જીવ હોય ત્યાં સુધી તે જ્ઞાન હોય, પણ જીવ અન્યત્ર જાય ત્યારે તેની સાથે તેનું અવધિજ્ઞાન ન જાય. એને માટે શૃંખલાથી બાંધેલા દીપકનું ઉદાહરણ આપવામાં આવે. માણસ બહાર જાય ત્યારે ઘરમાં બાંધેલો દીવો સાથે બહાર ન જાય. (૩) વર્ધમાન-સંયમની જેમ જેમ શુદ્ધિ વધતી જાય, ચિત્તમાં પ્રશસ્ત અને પ્રશસ્તતર અધ્યવસાયો થતા જાય તેમ તેમ અવધિજ્ઞાન વધતું જાય. અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થયું હોય ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગે ક્ષેત્રને જાણે અને દેખે. પછી અવધિજ્ઞાન વધતું ચાલે તે ત્યાં સુધી પહોંચી શકે કે અલોકને વિશે પણ લોક જેવડા અસંખ્યાતા ખંડક દેખે. આ વર્ધમાન અવધિજ્ઞાન માટે ઇંધણ અને અગ્નિનું અથવા દાવાનળનું ઉદાહરણ આપવામાં આવે છે. અગ્નિમાં જેમ જેમ ઇંધણ નાખવામાં આવે તેમ તેમ અગ્નિ વધતો જાય, તેવી રીતે આ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય. (૪) હીયમાન–અગાઉ શુભ અધ્યવસાયો અને સંયમની શુદ્ધિ સાથે વધેલું અવધિજ્ઞાન પછી અશુભ અધ્યવસાયોને કારણે અને સંયમની શિથિલતાને કારણે ઘટવા લાગે. આ હીયમાન અવધિજ્ઞાન ધીમે ધીમે ઘટતું જાય. એને માટે અગ્નિશિખાનું ઉદાહરણ આપવામાં આવે છે. દીવાની જ્યોત ક્રમે ક્રમે નાની થઈ છેવટે અંગુલના અસંખ્યાતા ભાગ જેટલી રહે. (૫) પ્રતિપાતિ-પ્રતિપાતિ એટલે કે પાછું પડવું. જે અવધિજ્ઞાન સંખ્યાતા કે અસંખ્યાતા યોજના સુધી જાણે અને દેખે, અરે ઠેઠ સમગ્ર લોક સુધી દેખી શકે, પણ પછી તે અચાનક પડે અને ચાલ્યું જાય. એને માટે પવનના ઝપાટાથી ઓલવાઈ જતા દીવાનું ઉદાહરણ આપવામાં આવે છે. હીયમાન અવધિજ્ઞાન અને પ્રતિપાતિ અવધિજ્ઞાન વચ્ચે તફાવત એ છે કે હીયમાન અવધિજ્ઞાન ધીમે ધીમે ઘટતું જાય છે, ત્યારે પ્રતિપાતિ અવધિજ્ઞાન સમકાળે એક ઝપાટે સામટું ચાલ્યું જાય છે. (૯) અપ્રતિપાતિ-અપ્રતિપાતિ એટલે જે પાછું ન પડે તે. આ અવધિજ્ઞાન સમગ્ર લોકને જોવા ઉપરાંત અલોકનો ઓછામાં ઓછો એક પ્રદેશ દેખે. અપ્રતિપાતિ અવધિજ્ઞાન અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે કે અપ્રતિપાતિ અવધિજ્ઞાન જેને થાય તેને ત્યાર પછી તે જ ભવમાં કેવળજ્ઞાન અવશ્ય થાય જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy