SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન – ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે : ભવપ્રત્યયો નવેવાનાં । દેવલોકમાં દેવતાઓને અને નરક ગતિમાં નારકી જીવોને જન્મથી અવધિજ્ઞાન થાય છે. દરેક ગતિની કોઈ વિશિષ્ટતા હોય છે. મનુષ્ય ગતિ શ્રેષ્ઠ હોવા છતાં બધી જ શક્તિઓ મનુષ્યને જન્મથી પ્રાપ્ત થાય છે એવું નથી. પક્ષી તરીકે જીવને જન્મ મળે એટલે ઊડવાનું એને માટે સહજ છે. મનુષ્ય એ રીતે ઊડી શકતો નથી. કૂતરાની સૂંઘવાની શક્તિ કે ઘૂવડની અંધારામાં જોવાની શક્તિ એ યોનિને કારણે છે, યોનિ-પ્રત્યય છે. તે જ પ્રમાણે દેવગતિમાં કે નરકગતિમાં ઉત્પન્ન થતા સર્વ જીવોને પોતપોતાની ગતિ અને પૂર્વ કર્મના ક્ષયોપરામ અનુસાર નાનું-મોટું અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનુષ્યગતિમાં ફક્ત તીર્થંકરના જીવને ચ્યવન—જન્મથી અવધિજ્ઞાન હોય છે. અન્ય સર્વ મનુષ્યો માટે અવધિજ્ઞાન જન્મથી પ્રાપ્ત થતું નથી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનમાં પણ ક્ષયોપશમનું તત્ત્વ આવે જ છે. જો તેમ ન હોય તો દેવગતિમાં અને નરકકગતિમાં દરેકનું અવધિજ્ઞાન એક સરખું જ હોય. પરંતુ એકસરખું નથી હોતું એ બતાવે છે કે તે ક્ષયોપશમ અનુસાર છે. (૨) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન–મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને આ અવધિજ્ઞાન થાય છે. તે દરેકને થાય તેવું નથી. જેનામાં તેને યોગ્ય ગુણનો વિકાસ થાય તેને આ જ્ઞાન થાય છે. વસ્તુત: તે તે પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી (ચારે ઘાતિ કર્મોના ક્ષયથી) કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અવધિજ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. પાપ અઢાર પ્રકારે બંધાય છે અને બ્યાશી પ્રકારે ભોગવાય છે. તેમાં જે પાપકર્મના ઉદયથી અવધિજ્ઞાનનું આચ્છદન થાય છે તેને અવધિજ્ઞાનાવરણીય પાપકર્મ કહેવામાં આવે છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર છે : (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ. ૨૯ (૧) અનુગામી-જે સ્થાનકે જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનકથી જીવ અન્યત્ર જાય તો સાથે સાથે અવધિજ્ઞાન પણ જાય. એને માટે લોચનનું ઉદાહરણ આપવામાં આવે છે. માણસનાં લોચન માણસ જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ હોય. અથવા સૂર્ય અને સૂર્યપ્રકાશનું ઉદાહરણ આપવામાં આવે. જ્યાં સૂર્ય જાય ત્યાં સાથે એનો પ્રકાશ પણ જાય તેવું આ અવધિજ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy