SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જિનતત્ત્વ અલબત્ત, આધ્યાત્મિક દૃષ્ટિએ ટી. વી ના માધ્યમની ઉપયોગિતાનું કોઈ પણ રીતે સમર્થન કે અનુમોદન થઈ શકે નહીં. મનુષ્યની દૃષ્ટિને મર્યાદા છે. પોતાના જ ઘરના બીજા ખંડમાં બનતી વસ્તને તે નજરોનજર જોઈ શકતો નથી કે તેવી રીતે હજારો માઈલ દૂર બની રહેલી ઘટનાને પણ જોઈ શકતો નથી. પણ હવે ટી. વી. કેમેરાની મદદથી માણસ પોતાના ખંડમાં બેઠાં બેઠાં ઘરના બીજા ખંડોમાં શું થઈ રહ્યું છે, દરવાજે કોણ આવ્યું છે તે પ્રત્યક્ષ જોઈ શકે છે. ટી.વી. કેમેરાની મદદ વડે પંદર-પચીસ માળના મોટા સ્ટોરમાં એના સંચાલક પ્રત્યેક વિભાગમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકે છે. શાળા કે કૉલેજના આચાર્ય પ્રત્યેક વર્ગમાં શિક્ષક શું ભણાવે છે અને વિદ્યાર્થીઓ શું કરે છે તે જોઈ શકે છે. માણસ પોતાના ખંડમાં બેઠાં બેઠાં ટી. વી. સેટ ઉપર હજારો માઈલ દૂર રમાતી મેચ તત્ક્ષણ નજરે નિહાળી શકે છે. એક દેશમાં રમાતી એક પ્રકારની મેચ ન ગમતી હોય તો બટન દબાવીને બીજા દેશની બીજી મેચ આવતી હોય તો તે જોઈ શકે છે. વીડિયોની મદદથી ધારે ત્યારે રેકોર્ડ કરેલા જૂના કોઈ પ્રસંગને જોઈ શકે છે. ટી. વી. અને વીડિયોની જેટલી સગવડ વધારે તે પ્રમાણે તેટલાં ક્ષેત્ર અને કાળનો અવકાશ વધારે. આમ છતાં વૈજ્ઞાનિક સાધનો પર અવલંબિત ટી. વી. એ ટી. વી. છે. અને અવધિજ્ઞાન તે અવધિજ્ઞાન છે. મન અને ઇન્દ્રિયોની મદદથી ટી. વી.નાં દશ્યોને જોઈ શકાય નથી. અવધિજ્ઞાન મન અને ઇન્દ્રિયોની મદદ વિના, રૂપી દ્રવ્યોને આત્મભાવથી સાક્ષાત્ જોઈ શકે છે. અંધ મનુષ્ય ટી. વી ના દશ્યને જોઈ શકતો નથી. પણ મનુષ્ય ઇન્દ્રિયોની સહાય વિના અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને પોતાના જ્ઞાનગોચર વિષયને જોઈ શકે છે. ટી.વી. અને વીડિયો દ્વારા વર્તમાનમાં બનતી અને ભૂતકાળની ફક્ત રેકોર્ડ કરેલી ઘટનાઓ જોઈ શકાય છે. ભવિષ્યકાળની અનાગતની ઘટનાઓ જોઈ શકાતી નથી. અવધિજ્ઞાન દ્વારા અનાગત કાળનાં દ્રવ્યો – પદાર્થોને પણ જોઈ શકાય છે. ટી. વી.નાં દૃશ્યો પડદા ઉપર હોય છે. અવધિજ્ઞાન દ્વારા તે સાક્ષાત્ જોઈ શકાય છે. આમ, ટી. વી. અવધિજ્ઞાનનો કિંચિત અણસાર આપી શકે છે, પરંતુ અવધિજ્ઞાનનું સ્થાન તે ક્યારેય નહીં લઈ શકે. અવધિજ્ઞાન જન્મથી અને ગુણથી એમ બે રીતે પ્રાપ્ત થાય છે. જે જન્મથી પ્રાપ્ત થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ગુણથી પ્રગટ થતું અવધિજ્ઞાન તે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy