SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૭ લઈએ તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન મર્યાદાવાળાં છે, સાધિ છે. એક કેવળજ્ઞાન જ અમર્યાદ, નિરવધિ છે. એટલે ‘અવધિ’ શબ્દના બંને અર્થ લેવા વધુ યોગ્ય છે. અવધિજ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે છે : ઇન્દ્રિયો અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપી દ્રવ્યો-પદાર્થોનું જેના વડે જ્ઞાન થાય છે તેને અધિ જ્ઞાન કહેવામાં આવે છે, द्रव्याणि मूर्तिमन्त्येव विषयो यस्य सर्वतः । नैयत्यरहितं ज्ञानं तत्स्यादवधिलक्षणम् ।। અવધિજ્ઞાનની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : (१) अवशब्दोऽध शब्दार्थः अब अधो विस्तृतं वस्तु धीयते परिच्छिद्यतेऽनेनेत्यवधिः । (२) अवधिर्मर्यादा रूपष्वेव द्रव्येषु परिच्छेदक्रतया प्रवत्तिरूपा तदुपलक्षितं ज्ञानमप्यवधिः । (રૂ) અવધાનમાત્માનોડર્થ : સાક્ષાત્કારળ વ્યાપારોઅવધિ: 1 જ્ઞાનના બે પ્રકાર બતાવવામાં આવે છે : (૧) પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. મન અને ઇન્દ્રિયોના આલંબન વિના, આત્મા પોતાના ઉપયોગથી દ્રવ્યોને, પદાર્થોને સાક્ષાત્ દેખે અને જાણે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. મન અને ઇન્દ્રિયોની સહાયથી જે જ્ઞાન હોય તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે. કેવલી ભગવંતો છ દ્રવ્ય પ્રત્યક્ષપણે જાણે છે તથા દેખે છે. એટલે કેવળજ્ઞાન સર્વથી પ્રત્યક્ષજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાની મનોવર્ગણના ૫૨માણુઓને પ્રત્યક્ષજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાની મનોવર્ગણના પરમાણુઓને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે તથા અવધિજ્ઞાની પુદ્ગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. એટલે મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન દેશપ્રત્યક્ષ જ્ઞાન છે. વર્તમાન સમયમાં ટેલિવિઝનની શોધે દુનિયામાં ઘણી મોટી ક્રાંતિ કરી છે. તેવી જ રીતે કમ્પ્યૂટરની શોધે પણ કર્યું છે. એથી વેપાર-ઉદ્યોગમાં ઘણાં પરિવર્તનો આવી ગયાં છે. જીવનશૈલી ઉપર એનો ઘણો બધો પ્રભાવ પડ્યો છે. જોકે ટેલિવિઝન અને અવધિજ્ઞાન વચ્ચે લાખ યોજનનું અંતર છે, તો પણ અવધિજ્ઞાનને સમજવામાં ટેલિવિઝનનું ઉદાહરણ કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy