SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 2. જિનતત્વ સમજાઈ જાય અને તેને માટે પશ્ચાતાપ કરી પ્રાયશ્ચિત લે તો તે પોતાના જીવનને સુધારી શકે છે. એવા જીવો પોતાના આત્માનું અવશ્ય કલ્યાણ કરી શકે છે, અરે ! તદ્દભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકે છે. રોહિણેય ચોર, દઢપ્રહારી, પ્રભવ ચોર (જે પછીથી જંબુસ્વામીની સાથે દીક્ષા લઈ એમની પાટે પ્રભવસ્વામી તરીકે આવે છે) વગેરેનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે. સાધુ ભગવંતોએ મહાવ્રતોનું પાલન મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ કોટિએ કરવાનું હોય છે. આ ત્રીજા મહાવ્રત માટે શાસ્ત્રમાં પાંચ ભાવના બતાવવામાં આવી છે. मितोचिताभ्यनुज्ञातग्रहणान्यग्रहोऽन्यथा । संतोषो भफ्ततपाने च तृतीयव्रतभावना: ।। સાધુઓએ અસ્તેય મહાવ્રતનું પાલન કરવાનું છે. એટલે તેઓએ પોતાના આહારની બાબતમાં પણ આ વ્રતનું પાલન બરાબર થાય એ માટે નીચેની પાંચ પ્રકારની ભાવનાનું સચ્ચાઈપૂર્વક સેવન કરવાનું હોય છે : ૧. મિત આહાર – સાધુઓએ પરિમિત આહાર લેવાનો હોય છે. પેટ ભરીને જમવું એ સાધુનું લક્ષણ નથી. એથી પ્રમાદ અને અસંયમ તરફ ચિત્ત દોડે છે. પરિમિત આહારથી સંયમનું પાલન સારી રીતે થઈ શકે છે અને પ્રમાદ વગેરે પણ રહેતાં નથી. સ્વાધ્યાય, ધ્યાન, ધર્મક્રિયા વગેરેમાં ચિત્ત પ્રસન્નતાપૂર્વક પરોવાયેલું રહે છે. જે સાધુઓ અપરિમિત આહાર કરે છે તેઓ સીધી કે આડકતરી રીતે અસ્તેય મહાવ્રતની ભાવનાનું ખંડન કરે છે. ૨. ઉચિત આહાર - ગૃહસ્થ કરતાં પણ સાધુઓએ પોતાના આહારની બાબતમાં વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી ચીવટ રાખવાની હોય છે. ગૃહસ્થો માટે અનંતકાય, અભક્ષ્ય વગેરે આહાર જે ગણાય છે તે સાધુઓ માટે વર્યુ છે જ, પરંતુ રસલોલુપતા વધે, વિકાર ઉત્પન્ન થાય એવો આહાર પણ સાધુ માટે વર્યુ છે. વળી પોતાના શરીરની પ્રકૃતિને પણ લક્ષમાં રાખી એવો યોગ્ય આહાર જ સાધુએ લેવો જોઈએ. ૩. અભ્યનુજ્ઞાતગ્રહણ – સાધુઓએ પોતાના આચારનું બરાબર પાલન કરવું હોય તો શ્રાવકો પધારવા માટે વિનંતી કરે તે પછી જ તેમને ત્યાં આહાર લેવા – ગોચરી વહોરવા જવું જોઈએ. ૫. ભક્તપાન સંતોષ – સાધુઓએ પોતાને ગોચરીમાં જે પ્રકારનો આહાર જેટલા પ્રમાણમાં મળ્યો હોય તેમાં સંતોષ માનવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy