SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન-વિરમણ ૨૧ [દાંત ખોતરવાની સળી પણ અદત્ત હોય તો ન લેવી જોઈએ. આપેલી વસ્તુ પણ અનવધ્ય અને એષણીય હોય તે જ ગ્રહણ કરવાનું વ્રત ઘણું કઠિન છે .. અદત્તાદાન વિરમણની ભાવનાને જૈન ધર્મ એટલી ઊંચાઈએ લઈ જાય છે કે ‘પ્રશ્ન વ્યાકરણ'માં તો ત્યાં સુધી કહ્યું છે કે અવિમાની, અસંહવુડું... અપ્પમાળમો... એ તારિસ! નાનાહ! વયમિન્ । જે અસંવિભાગી છે, અસંગ્રહરુચિ છે, જે અપ્રમાણભોગી છે તે આ અદત્તાદાન વિરમણ વ્રતની સાચી આરાધના કરી શકતો નથી. વળી કહ્યું છે : સંવિમાસીને સંગઠોજીસને જે સંવિભાગશીલ છે અને સંગ્રહ તથા ઉપગ્રહમાં કુશળ છે તે આ વ્રતની સારી રીતે આરાધના કરી શકે છે. પોતે પ્રાપ્ત કરેલાં ધનસંપત્તિમાં કે નાનીમોટી ચીજવસ્તુઓમાં કે ભોજનાદિની સામગ્રીમાં જે બીજાનો ભાગ રાખતો નથી, જે સંગ્રહ રુચિવાળો નથી એટલે કે બીજાને માટે ઓછું-વત્તું બચાવવાની વૃત્તિવાળો નથી, જે અમર્યાદ ભોગપભોગમાં રાચે છે, પોતાની આવશ્યકતા કરતાં વધુ ભોગવવાની ઇચ્છા રાખે છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ જે પોતાનું કમાયેલું ધન બધું જ એકમાત્ર પોતે જ ખાય છે તે સમાજનો ચોર છે. દુનિયાના કોઈ ધર્મમાં અસ્તેય વ્રતની આવી ઊંચી ભાવના બતાવવામાં આવી નથી. વ્યક્તિગત કક્ષાએ કેટલાયે એવા જૈનો હશે કે જે આવી સ્વાર્થી વૃત્તિવાળા હશે. એવા અન્ય ધર્મમાં પણ જોવા મળશે. પરંતુ તેથી ધર્મની આ ઊંચી ભાવના અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તે સમાજજીવનનો એક ઊંચો આદર્શ તો છે જ, પરંતુ મોક્ષમાર્ગના સાધક માટે પણ એ ભાવના એટલી જ ઉપયોગી છે. એ ભાવનાને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ ક૨ના૨ને અને મોક્ષમાર્ગના સાચા સાધકને એમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું જણાશે. ભગવાન મહાવીરે જેમનું સામાયિક વ્રત વખાણ્યું છે એવા પુણિયા શ્રાવકની અદત્તાદાન વિરમણ વ્રતની સાધના એટલી ઊંચી કોટિની હતી કે પોતે તો કશું એવું ગ્રહણ ન કર્યું હોય, પણ પોતાના ઘરમાં અજાણતાં કશું આવી ગયું હોય તો પણ સામાયિક દરમિયાન એમના ચિત્તની સ્થિરતામાં વિક્ષેપ પડતો અને પોતાને તરત વહેમ પડતો કે કશુંક અદત્ત ઘરમાં આવી ગયું છે.' ચોરીનું પાપ ઘણું મોટું છે અને વિપાકે ઘણું દુ:ખ આપે એવું છે, તો પણ એવું નથી કે એ પાપમાંથી નિવૃત્ત ન થઈ શકાય. એક વખત ચોરી કરી એટલે આખી જિંદગી નકામી થઈ ગઈ એવું નથી. ચોરીની પોતે કરેલી ભૂલ માણસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy