SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ૨૦ લાભ જ દેખાતો હોય ને તે સિવાય બીજી કોઈ વસ્તુની સંભાવના ન હોય તો પણ તે ન ગ્રહણ કરવું.] नीतिं मनः परित्यज्य कुमार्ग यदि धावते । सर्वनाशं विजानीहि तदा निकट संस्थितम् ।। [જ્યારે ચિત્ત નીતિનો ત્યાગ કરીને અનીતિના કુમાર્ગ તરફ ધસે છે તો સમજવું કે સર્વનાશ નિકટ રહેલો છે.] લોકવ્યવહારમાં પણ સુભાષિતકારે કહ્યું છે : अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे समूलं च विनश्यति ।। [અન્યાયથી મેળવેલું ધન દસ વર્ષ સુધી ટકે છે, અગિયાર વર્ષ થતાં તો મૂળ સાથે તે નાશ પામે છે.] શાસ્ત્રકારોએ ચોરીની નિંદા તો ત્યાં સુધી કરી છે કે એક અપેક્ષાએ હરણ કે ડુક્કરનો ઘાત કરનાર કે પરસ્ત્રીગમન કરનારના પાપ કરતાં પણ ચોરીનું પાપ ઘણું મોટું છે. પોતાના હકનું જે નથી તેવું કશું જ પોતાને જોઈતું નથી અને કોઈએ વિધિસર ન આપેલી કોઈ પણ ચીજવસ્તુ પોતાને ખપતી નથી એવી અંતરમાં ભાવના રહે તો તેવી વ્યક્તિનું જીવન આ બાબતમાં સહજ રીતે શુદ્ધ રહે છે. જેઓ રાજ્યભય કે સામાજિક અપજશને લીધે ચોરી કરતા નથી તેના કરતાં પકડાયા વગર ચોરી કરવાની સરસ તક મળી હોય છતાં માણસ ચોરી ન કરે તે વધુ ચડિયાતો છે. અંતરમાં ત્યાગ અને નિ:સ્પૃહીપણું સતત જાગૃત હોય તો જ આમ બની શકે છે. ધર્મશ્રદ્ધાથી એવા ગુણો વધુ દૃઢ થાય છે. ભગવાન મહાવીરે તો કહ્યું છે કે સાધુઓએ તો આ વ્રત એટલી હદ સુધી પાળવું જોઈએ કે પોતે રસ્તામાં વિહાર કરતા ચાલ્યા જતા હોય અને તે વખતે દાંતમાં કંઈ કચરો ભરાયો હોય અને દુઃખવા આવે તે વખતે દંતશોધન તરીકે ઝાડ પરથી તોડીને કે નીચે પડેલી વીણીને નાનીસરખી ડાંખળી લઈને દાંતખોતરણી તરીકે ઉપયોગ કરે તો પણ અદત્તાદાન વિરમણ વ્રત દૂષિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : Jain Education International अदत्तस्स विवज्जणं दंतसोहणमाइस्स उणवज्जेसाणिज्जतस्स गिण्हाणा अदि दुक्करं ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy