SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જિનતત્ત્વ અધ્યવસાયરૂપ છે. તો પછી કષ્ણલેશ્યા અને મન:પર્યવ જ્ઞાનનો સંબંધ કેવી રીતે ઘટી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવાયું છે કે પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. એમાંથી કેટલાંયે મંદ રસવાળાં અધ્યવસાયસ્થાન પ્રમત્તસંયતને પણ હોય છે. એટલે કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કપોત વેશ્યા પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. બીજી બાજુ મન:પર્યવજ્ઞાન સૌ પ્રથમ થાય છે તો અપ્રમત્ત ગુણસ્થાનવાળાને જ. પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન અને પ્રમત્ત ગુણસ્થાન વચ્ચે ચડઊતર, આવનજાવન થાય છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનવાળા મહાત્મા જો અને જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે મન:પર્યવજ્ઞાન તો હોય જ છે. આ રીતે કષ્ણ લેશ્યાવાળાને પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. આ એક સંભાવના છે. જો કે એ અત્યંત વિરલ અને અપવાદરૂપ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય વગેરેમાં રહેતો કષ્ણ લેશ્યાવાળો (અથવા નીલ કે કપોત લેશ્યાવાળો) જીવ અનન્તર ભવમાં – પછીના તરતના ભવમાં મનુષ્યગતિ પામી શકે છે, કેવળજ્ઞાન પામી શકે છે અને મોક્ષગતિ પામી સિદ્ધ પરમાત્મા થઈ શકે છે. એવા જીવોની તેવી ભવિતવ્યતા હોય છે. એમાં આગળ જતાં એમને શુકલ લેગ્યા સહાયભૂત થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ શુકલ લેશ્યા હોય છે. લેશ્યા અને ધ્યાનનો વિચાર કરીએ તો આર્તધ્યાન વખતે કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. રૌદ્રધ્યાન વખતે પણ એ જ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પરિણમન વધારે તીવ્ર હોય છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાનમાં લેશ્યા અતિસંક્લિષ્ટ પરિણામવાળી હોય છે. ધર્મધ્યાનના સમયે તે, પદ્મ અને શુકલ લેશ્યા હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા (ચરણ)માં ફક્ત શુકલ લેડ્યા હોય છે, ત્રીજા ચરણમાં પરમ શુકલ લેશ્યા હોય છે અને ચોથા ચરણમાં જીવ લેશ્યાતીત હોય છે. લેશ્યાઓનું પરિણમન કેવા પ્રકારે થાય છે એ વિશે ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “હે ગૌતમ ! સર્વ લેશ્યાઓ ત્રણ પ્રકારે, નવ પ્રકારે, સત્તાવીસ પ્રકારે, એક્યાસી પ્રકારે, બસો તેતાલીસ પ્રકારે અથવા એથી પણ ઘણા બધા પ્રકારે પરિણામોમાં પરિણત થાય છે. કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણમન પામે છે. એવી જ રીતે બીજી લેશ્યાઓ પણ પરિણમન પામે છે. જેમ દૂધ મેળવણ (છાશ વગેરે ખટાશવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy