SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ જિનતત્વ શ્રમણ કાલોદયીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું, “હે ભગવાન ! જેમ સચિત્ત અગ્નિકાય પ્રકાશે છે, તેમ અચિત્ત અગ્નિકાયનાં પુદ્ગલ પ્રકાશે છે ?' ભગવાને કહ્યું, “હા ! કાલોદયીન ! અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે. હે કાલોદયીન ! ક્રોધી અણગારમાંથી તેજોલેશ્યા નીકળીને દૂર જવાથી દૂર પડે છે અને પાસે જવાથી પાસે પડે છે. જ્યાં તે તેજલેશ્યા પડે છે ત્યાં અચિત્ત પુગલ પ્રકાશ કરે છે.” ઉષ્ણ તેજલેશ્યાથી અન્ય વ્યક્તિ કે ગ્રામનગરને બાળવાની શક્તિનો પ્રતિકાર કરી એને શાન્ત કરવાની, પાછી વાળવાની શક્તિ શીત તેજલેશ્યામાં હોય છે. તાપસ વેશ્યાયને ગોશાલક ઉપ૨ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવી લીધો હતો. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામી ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ! મંખલીપત્ર ગોશાલક પર અનુકંપા લાવીને મેં તાપસ વેશ્યાયને ફેકેલી તેજલેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો.' એ જાણીને અને ગોશાલકને કંઈ પણ ઇજા ન થયેલી જોઈને વેશ્યાયને પોતાની ઉષ્ણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી હતી. કોઈપણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજોવેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજોવેશ્યા હોય તો ફેંકેલી લેશ્યા પાછી ફરે છે એટલું જ નહીં, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે છે. - તેજોવેશ્યા ફેંકવા માટે તેજસ શરીરનો સમુદ્ઘાત કરવો પડે છે. સમુદ્યામાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવા પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તેજસમદુઘાત તેજલેશ્યાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુદ્ગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યા ફેકે છે તેને તેજસમુદુઘાત કહે છે. આવી તેજોલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે. મુખ્ય છ લેશ્યાઓમાંની તેજલેશ્યા તથા તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજલેશ્વાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજોલેશ્યાનો અર્થ થાય છે “આત્મક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy