SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા એવી તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય છે : જેમ કે (૧) આતાપનથી (ઠંડી – ગરમી સહન કરવાથી), (૨) ક્ષાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (૩) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી. ] વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજોલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે : જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે અને એક ચોગલ (નાનો પ્યાલો) ઉષ્ણ પાણી પીવામાં આવે અને ફરી છઠ્ઠ કરવામાં આવે ને આ રીતે સળંગ છ મહિના તપશ્ચર્યા કરવામાં આવે અને તેટલો કાળ રોજ અમુક સમય સુધી સૂર્યની સામે જોઈ એની ઉષ્ણાતા-આતાપના લેવામાં આવે તો એ તપસ્વીને ઉષ્ણ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. આવી તેજલેશ્યા ધરાવનાર વ્યક્તિ તે તેજલેશ્યા ફેંકીને બીજાને બાળીને ભસ્મીભૂત કરી શકે છે અથવા અમુક નગરોને પણ બાળી નાખી શકે છે. તપોલબ્ધિથી મેળવેલી તેજોવેશ્યા કેટલી બધી બળવાન હોઈ શકે છે અને અંગે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી પર ફેંકેલી તેજલેશ્યાનું ઉદાહરણ ભગવતીસૂત્રમાં આપેલું છે. એમાં કહ્યું છે : ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિર્ઝન્થોને બોલાવીને કહ્યું, “હે આર્યો ! મંખલિપત્ર ગોશાલકે મારો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી જે ઉષ્ણ તેજલેશ્યા કાઢી હતી તે અંગ, બંગ વગેરે સોળ દેશોનો ઘાત કરવામાં – એને ભસ્મીભૂત કરવામાં સમર્થ હતી.' આના ઉપરથી આવી તેજોલેશ્યા કેટલી શક્તિશાળી હોઈ શકે તેનો ખ્યાલ આવશે. (વર્તમાન સમયનો એટમબોમ્બ એની આગળ કંઈ વિસાતમાં નથી.) જ્યારે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાને એની સામે શીતલેશ્યા ફેંકી કે જેથી ગોશાલકની તેજોવેશ્યા ભગવાનનો વધ ન કરી શકી, પણ તે ભગવાનની આસપાસ પ્રદક્ષિણા ફરીને પાછી ગોશાલક પર જ પડી હતી. તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા એ જીવના તેજસુ શરીરમાંથી પ્રસરતી એક પ્રકારની ઊર્જા છે, પૌદ્ગલિ શક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy