SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખા નથી હોતાં અને એકના એક માણસના વિચારો, ભાવો ઇત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેનો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મસૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુદ્ગલ પરમાણુઓને વેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી લેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉદ્દભવતા-પરિણમતા વિવિધરંગી પુદ્ગલ પરમાણુઓ સાથે પણ છે. આ પુદ્ગલ પરમાણુઓને દ્રવ્યલેશ્યા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવો, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે લેગ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, વાળા, દીપ્તિ, બિલ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઇત્યાદિ. લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંત:કરણની વૃત્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy