SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા ૨૬૫ આત્મપરિણામ, અંતર્જગતની ચેતના, આભામંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ. પ્રાકૃતમાં “લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા' શબ્દ “લસુ” ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લસુ” એટલે ચમકવું. લેશ્યાની જુદી જુદી વ્યાખ્યા અપાય છે. ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છે : लेशयति श्रलेषयतीवात्मनि जननयनानीति लेश्या । [ જે લોકોની આંખોને પોતાના તરફ આકૃષ્ટ કરે છે તે લેગ્યા છે. ] આવશ્યક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा इति लेश्याः । [ જે આત્માને અષ્ટવિધ કર્મ ચોંટાડે છે તે લેગ્યા છે. ] ચારણામો શ્યા! અર્થાત્ લેશ્યા એ યોગપરિણામ છે. નિર્ચો નેશ્યા – વેશ્યા એ કર્મનિસ્યદરૂપ છે. (કર્મમાંથી વહેતો પ્રવાહ છે.) દિગંબર ગ્રંથ “ધવલા'ની ટીકામાં કહ્યું છે : નિમ્પતતિ ને ! – જે કર્મોને આત્મા સાથે લિપ્ત કરે છે તે વેશ્યા. રવિતા ચોગપ્રવૃતિનેંડ્યા | – વેશ્યા એ કષાયોદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ છે. (આ વ્યાખ્યા અધૂરી ગણાય છે, કારણ કે સયોગી કેવલીને કષાય નથી હોતા, પણ શકલ લેગ્યા હોય છે.) શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં દ્રવ્ય લેગ્યા માટે કહ્યું છે : कृष्णादि द्रव्य सान्निध्यजनितो जीव परिणामो लेश्या । [ કૃષ્ણ વગેરે દ્રવ્યના સાન્નિધ્યથી જે જીવપરિણામ ઉત્પન્ન થાય છે તે વેશ્યા.] વળી કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्यात् परिणामो य आत्मनः । स्कटिकस्येव तत्रायं, लेश्या शब्द प्रयुज्यते ।। વળી ભાવલેશ્યા માટે એમણે કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्य जनिताऽत्मपरिणामरूपा भावलेश्या । [ કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે આત્મપરિણામરૂપ ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવલેશ્યા. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy