SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન-વિરમણ (૫) કાણકથી – આ ચોરીનો માલ છે એ જાણીને તે સસ્તા ભાવે લઈ લેનાર અને તે વેચીને નફો કમાનાર એટલે કે ચોરે ચોરેલી વસ્તુઓનો વેપારધંધો કરનાર. (૯) અન્નદ – ચોરને ખાવાનું આપનાર. (૭) સ્થાનદ – ચોરને પોતાને ઘરે આશ્રય આપનાર, ચોરને સંતાવા માટે કોઈ સ્થાને વ્યવસ્થા કરાવી આપનાર. જાતે ચોરી ન કરવી પણ વિવિધ હેતુ માટે વિવિધ રીતે ચોર લોકોની સાથે સંલગ્ન રહેનાર અને સહાય કરનાર માણસ પણ ચોર જેવો જ ગણાય. શ્રી અભયદેવસૂરિએ એવી જાતના ચોરના ૧૮ પ્રકાર જણાવ્યા છે. અદત્તાદાન વિરમણ વ્રતના જે અતિચારો છે તે અતિચારો પણ શ્રાવકે ત્યજવા જોઈએ. એ અતિચાર પણ પોતાનાથી ન થાય એવી સાવધાની રાખવા માટે ચોરીની જે અઢાર પ્રસૂતિઓ અથવા ચોરીની જનની ગણાવવામાં આવે છે, તેનું સેવન શ્રાવકે ન કરવું જોઈએ. ચોરીના આવા અઢાર પ્રકાર અથવા આ અઢાર પ્રસૂતિ તે નીચે પ્રમાણે છે : भलनं कुशलं तर्जा राजभोग्याऽवलोकनं । अमार्गदर्शनं राय्या पदभंगस्तथैव च ।। विश्रामपादपतनं चासनं गोपनं तथा । खंडस्य खादनं चैव तथान्य न्महाराजिकं ।। पट्यग्न्युदकरज्जूनां प्रदानं ज्ञानपूर्वकं । एताः प्रसूतयोज्ञेया अष्टादश मनीषिभिः ।। ૧. ભલન ૨. કુશલ ૩. તર્જા ૪. રાજભોગ ૫. અવલોકન ક અમાર્ગદર્શન ૭. શયા ૮. પદભંગ ૯. વિશ્રામ ૧૦. પાદપતન ૧૧. આસન ૧૨. ગોપન ૧૩. ખંડખાદન ૧૪. માહારાજિક ૧૫. પટ્ટી ૧૧. અગ્નિ ૧૭. ઉદક ૧૮. રજુ. ૧. ભલન – એટલે ચોરોની સાથે ભળી જવું. ચોરને કહે કે “તું ચિંતા કરીશ નહીં, હું તારી સાથે જ છું. તને કંઈ થાય તો હું બેઠો છું.' આવાં આવાં ગુપ્ત વચનથી ચોરને પ્રોત્સાહિત કરે અને બહારથી પોતે અજાણ હોય તેવો દિખાવ કરે. ૨. કુશલ – એટલે ચોરી કરનારને તેમની ક્ષેમ કુશળતા વિશે પૂછે, તેમનાં સુખદુ:ખની વાતથી પોતાને માહિતગાર રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy