SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૮૭ ઉપયોગથી, આવર્તનથી નનન... નનન....થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે નના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ન દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ ળ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ, નમો અને જો બંને પદ સુયોગ્ય છે. નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને નો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં નનાં ૩૫ નામ આપવામાં આવ્યા છે અને નાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. ‘વૃત્તરત્નાકર’માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે જ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે. આમ, નવકારમંત્રમાં નો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે નમો પદની ભલામણ થાય છે. આપણાં આગમોમાં સર્વપ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નો એટલે નો પદનું માહાત્મ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન ક૨વું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમો નો ભાવ આવવો જોઈશે. એટલા માટે નમો ને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નો પદ સુધી પણ પહોંચી શકતો નથી. નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે : (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. ‘નમો અરિહંતાણ’, ‘નમો સિદ્ધાણં’ વગેરેમાં ‘નમો’ શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે. નવકારમંત્રમાં નમો અરિહંતાણં વગેરેમાં નો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે ૫૨મેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નો પદ પછી મૂકવામાં આવે એટલે કે અરિહંતાળું નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાકરણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy