SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જિનતત્ત્વ એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નમો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે “નમો પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં “નમોત્થણમાં, નમોડસ્ત વર્ધમાનાયમાં, “નમો ભગવતે પાર્શ્વનાથાય' વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ “નમો ભગવતે વાસુદેવાય' ઈત્યાદિમાં “નમો’ પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે સૂત્રોમાં નમો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આદ્ય પદ તરીકે તેનો વિશેષ પ્રચલિત છે. સ્વરભંજનની દૃષ્ટિએ નમો શબ્દનું વિશ્લેષણ થયું છે. “મન' શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે. : ૧ અને ૨. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે 'નમ'. આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે “મન”નું “નમ' થાય છે. નમો (મો) ને ઉલટાવવાથી મોન (મો) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નાનો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે. નમો’ પદમાં ૐકાર અંતર્ગત રહેલો છે. નમો પદનાં સ્વરભંજન છૂટાં પાડીએ તો તે આ પ્રમાણે થાય : ન + +મ્ + ઝો. આ સ્વરભંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે : ગ્રો + + + X +ન. આમાં પ્રથમ બે વર્ણ તે પ્રશ્ન = % છે. આમ નમો પદમાં મંત્રબીજ ૐ કારનો સમાવેશ થયેલો છે. હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે “ન' અક્ષર સૂર્યવાચક છે અને “મ' અક્ષર ચંદ્રવાચક છે. એટલે “નમો’ માં “ન' સૂર્યવાચક છે અને “મ' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે “નમો'માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ. એટલે નમો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy