SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જિનતત્ત્વ આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નમો પદ ન હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે. એટલે નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે. ક્યારેક પ્રશ્ન થાય છે કે નમો પદ અને નમો પદ એ બેમાં કયું સાચું? તેનો ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં ન થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે : નો જ સર્વત્ર – એટલે જ્યાં ન હોય ત્યાં બધે જ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો જ થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો વ્યંજન હોય તો ન નો જ વિકલ્પ થાય છે. એટલે કે ર નો થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે શબ્દાનુશાસન' વ્યાકરણમાં “વાહી' સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત નો વિકલ્પ જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો જ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંત જ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. = દત્ય વ્યંજન છે અને મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ 7 અને 1 વિકલ્પ છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને અમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી, બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતા છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ નમો શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર માહાભ્યની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો' પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ “ભગવતીસૂત્ર'માં નમો અરિહંતા છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને નમો એ બંને પદો વિકલ્પ પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુવાર-નવારે બંને સાચાં છે. | નવકારમંત્રનાં પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર = અથવા છે પરંતુ છેલ્લો અક્ષર તો છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. તે અથવા ન અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં ન ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy