SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જિનતત્ત્વ ત્રણ નવકાર ગણતાં ૨૪ શ્વાસોચ્છુવાસ થાય. એટલે શ્વાસોચ્છવાસની ઓછી સંખ્યા કરતાં અધિક શ્વાસોચ્છુવાસનું પ્રમાણ વધુ યોગ્ય અને હિતાવહ છે. બંનેના કાલમાનની દૃષ્ટિએ પણ તે યોગ્ય છે. પદ અને સંપદાની દૃષ્ટિએ પણ ત્રણ કરતાં ચાર નવકાર વધુ યોગ્ય જણાય છે. એટલે એક લોગસ્સ બરાબર ચાર નવકારની ચાલી આવેલી પરંપરા યોગ્ય જ મનાય છે. લોગસ્સ ન આવડતો હો તો તે વ્યક્તિ ભલે કાઉસગ્ન ન કરે, પણ તેની પાસે નવકારની કાઉસગ્ગ કરાવવાની જરૂર શી છે એવી દલીલ વ્યર્થ છે. અલબત્ત, કાઉસગ્ન કરવાની સાચી ભાવનાવાળાએ ઉત્સાહપૂર્વક લોગસ્સ કંઠસ્થ કરી લેવો જોઈએ. નવકારમંત્ર કરતાં લોગસ્સ સૂત્ર મોટું અને કઠિન છે એવી દલીલમાં પણ બહુ બળ નથી, કારણ કે જો રસ, રુચિ અને લગની હોય તો ભાષા બોલતાં શીખેલાં બે-ત્રણ વર્ષનાં બાળકોએ લોગસ્સ શુદ્ધ રીતે કંઠસ્થ કરી લીધાના ઘણા દાખલા છે. લોગસ્સની સાત ગાથાઓનો સંબંધ આપણા દેહમાં રહેલાં સૂક્ષ્મ ચક્રો - શક્તિનાં કેન્દ્રો તથા સહસ્ત્રાર અથવા કુલ સાત શક્તિ કેન્દ્રો સાથે પણ દર્શાવવામાં આવે છે. પહેલી ગાથા મૂલાધાર ચક્રમાં ચિત્તે કેન્દ્રિત કરીને બોલવાની હોય છે. બીજી ગાથા સ્વાધિસ્થાન ચક્રમાં, ત્રીજી મણિપુર ચક્રમાં, ચોથી અનાહત ચક્રમાં, પાંચમી વિશુદ્ધિ ચક્રમાં, છઠ્ઠી આજ્ઞાચક્રમાં અને સાતમી સહસ્ત્રાર ચક્રમાં પ્રણિધાનપર્વક બોલવાની હોય છે. લોગસ્સની ગાથાઓની સંખ્યા સાત છે એ આકસ્મિક કે નિપ્રયોજન નથી. એ સાતની સંખ્યામાં વિશિષ્ટ અર્થ અને સંકેત રહેલો છે. લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થકરોનાં નામો બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. દરેક ગાથામાં આઠ-આઠ તીર્થકરોનાં નામ આવે એવી સરખી વહેંચણી કરવામાં આવી છે. મંત્રસ્વરૂપ આ ત્રણ ગાથાઓમાં તીર્થકરોનાં માત્ર નામ જ આપવામાં આવ્યાં છે. તેની સાથે બહુમાનસૂચક શબ્દો જેવા કે સિરિ (શ્રી), નાહ (નાથ), દેવ, પ્રભુ વગેરે શબ્દો આગળ કે પાછળ પ્રયોજવામાં આવ્યા નથી. જ્યાં ચોવીસ તીર્થંકરોની ગણના હોય ત્યાં આવાં ફક્ત નામો જ ગણાવવામાં આવ્યાં હોય એવું અન્યત્ર પણ જોવા મળે છે. “નંદીસૂત્રમાં તિત્થયરાવલીના પાઠમાં એ પ્રમાણે છે. તદુપરાંત બૃહત્ શાંતિ સ્તોત્ર એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. આમાં તીર્થકરોનાં નામની ક્રમિક સંકલના કવિતા કે ભાષા ગૌરવની દૃષ્ટિએ જ ફક્ત ન કરતાં મંત્રસ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy