SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર ૩૭૧ પવિત્ર અને પરમ પુણ્યવંત નામોના વાચક શબ્દોનું વૈખરી વાણીમાં પ્રગટ ઉચ્ચારણ પણ આરાધકના હૃદયમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવે છે, બોધિની વિશુદ્ધિ કરાવે છે અને સ-વિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સહાયક બને છે. એટલા માટે લોગસ્સના પ્રગટ ઉચ્ચારણની પણ આવશ્યકતા રહે છે. લોગસ્સનો કાઉસગ્ગના વિષયમાં જેમ પ્રયોજન મોટું તેમ કાઉસગ્ગ મોટો હોય છે. દુ:સ્વપ્ન તથા દુ:ખક્ષય કે કર્મક્ષય માટે રોજરોજ પ્રતિક્રમણમાં કરાતો કાઉસગ ચાર લોગસ્સનો હોય છે. પાક્ષિક, ચાતુર્માસિક સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૨, ૨૦ અને ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ હોય છે. (ફિરકાભેદે આ સંખ્યામાં થોડો ફેર હોય છે.) ઉપધાન કરનારા આરાધકોએ એ તપ દરમિયાન રોજ ૧00 લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે, નવ પદની આરાધના અને વીસ સ્થાનકની આરાધનામાં પણ તે પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે. (અકબરપ્રતિબોધક શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજને રોજ ઊભાં ઊભાં સો લોગસ્સનો કાઉસગ્ન કરવાનો નિયમ હતો.) કોઈ વિશિષ્ટ મોટું શુભ પ્રયોજન હોય અથવા સંઘ ઉપર કંઈ આપત્તિ કે ઉપદ્રવ હોય, તીર્થક્ષેત્રમાં કંઈ ઉપદ્રવો હોય અથવા ઉપદ્રવો ન થાય તે માટે પણ લોગસ્સના કાઉસગ્નનું વિધાન છે. લોગસ્સના કાઉસગ્નનું મહત્ત્વ શાસ્ત્રકારોએ એટલું બધું બતાવ્યું છે કે રોજ રોજ અવશ્ય કર્તવ્યરૂપ આ કાઉસગ્ગ ન કરવામાં આવે તો તેને દોષ – અતિચાર લાગે છે એમ કહ્યું છે. પાક્ષિક ઇત્યાદિ પ્રતિક્રમણમાં બોલાતા અતિચારમાં (તપાચારના અતિચારમાં) કહ્યું છે કે “કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસગ્ગ ન કીધો .... તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.' શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સંવત્સરિ પ્રતિકર્મણમાં ૪૦ લોગસ્સનો ચંદેસ નિમ્નલયરા” સુધી તથા એક નવકારનો કાઉસગ્ન કરવામાં આવે છે. ૪૦ લોગસ્સના કુલ ૧000 શ્વાસોચ્છવાસ તથા નવકારમંત્રના ૮ શ્વાસોચ્છવાસ એમ કુલ ૧૦૦૮ શ્વાસોચ્છુવાસ થાય છે. ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર ગણવાથી ૧૦૦૮ ની શુભ સંખ્યાનો પણ મેળ બેસે છે. એક લોગસ્સ બરાબર ચાર નવકારનો કાઉસગ્ગ હોય છે. નવકારના આઠ શ્વાસોચ્છવાસ ગણવામાં આવે છે. લોગસ્સના ૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy