SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનું પાતર સ્વરૂપ (૮) આઠમા પદ લઘુ અને એક ગુરુ છે. (૯) નવમા પદ લઘુ છે. - ૩૩૭ માનાનું ચ સવ્વુત્તિમાં આઠ અક્ષર છે. તેમાં સાત પઢમં હવદ્ મંત્તમાં નવ અક્ષર છે. તે નવ અક્ષર આમ, નવકારમંત્રના નવ પદની વર્ણસંખ્યા એટલે અક્ષરસંખ્યા અનુક્રમે ૭+૫+૭+૭+૯+ ૮ + ૮ + ૮ +૯ = ૬૮ છે. તેમાં લઘુવર્ણ ૬૧ અને ગુરુવર્ણ ૭ છે. Jain Education International જોડાક્ષરમાં એક અડધો અક્ષર (સ્વરરહિત વ્યંજન) અને એક આખો અક્ષર હોય છે. એટલે ગણિતની દૃષ્ટિએ દોઢ અક્ષર થાય. પરંતુ ભાષામાં, વ્યાકરણમાં અક્ષરોની ગણનામાં જોડાક્ષરને એક જ અક્ષર તરીકે ગણવામાં આવે છે, ઘેઢ તરીકે નહિ. લઘુ-ગુરુની દૃષ્ટિએ જોડાક્ષર ગુરુ અક્ષર ગણાય છે. એટલે નવકારમંત્રમાં લઘુ-ગુરુની દૃષ્ટિએ બધા મળીને અડસઠ અક્ષર છે એ સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયના શાસ્ત્રકારો, કવિઓ એના અડસઠ અક્ષરનો મહિમા ગાતા આવ્યા છે. ઉ. ત. જુઓ : અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર. * * * * સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરનાં પાતક વર્ણો, પદે પંચાસ વિચાર. * સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને નાર; પંચપરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવ પાર. કવિતામાં છંદશાસ્ત્રની દૃષ્ટિએ અ, ઈ, ઉ વગેરે પાંચ હ્રસ્વ સ્વર છે. વ્યંજનસહિત દૃસ્વ સ્વર તે પણ લઘુ સ્વર ગણાય છે અને તેની એક માત્રા ગણાય છે. જોડાક્ષર પૂર્વેના સ્વર ઉપર ભાર આવતો હોવાથી તે સ્વર ગુરુ ગણાય છે અને તેની બે માત્રા ગણાય છે. ઉ. ત. સિદ્ધાળમાં ‘’િ હ્રસ્વ સ્વર છે, પણ તેની પછી સંયુક્તાક્ષર ‘દ્વા’ આવતો હોવાથી તે ત્તિ નો સ્વર દીર્ઘ સ્વર ગણાય છે. છંદશાસ્ત્રમાં પદાન્ત કે ચરણાન્તે આવતા લઘુ સ્વરને પણ ગુરુ ગણી શકાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy