SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ यस्याष्टीसम्पदश्वानुपमतमहासिद्धयोऽद्वैतशक्ति जयाद् लोकद्वयश्चाऽभिलिषितफलदः श्री नमस्कारमन्त्रः ।। [આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઇચ્છિત ફ્ળને આપનાર શ્રી નમસ્કાર મંત્ર જયવંતો વર્તે કે જેનાં પહેલાં પાંચ પદોને ત્રૈલોક્યપતિ શ્રી તીર્થંકર દેવોએ પંચતીર્થ તરીકે કહ્યાં છે; જિન સિદ્ધાંતના રહસ્યભૂત એના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યા છે. અને તેની આઠ સંપાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.] નવકારમંત્રમાં કુલ ૬૮ અક્ષર છે. તેમાં પ્રથમનાં પાંચ પદ, પાંચ અધ્યયનસ્વરૂપ છે, મંત્રસ્વરૂપ છે. તે પાંચ પદના વ્યંજનસહિત ૩૫ અક્ષરો છે. મંત્રશાસ્ત્રમાં અક્ષરોમાં જોડાક્ષર-સંયુક્તાક્ષરને ગુરુ અથવા ભારે અને અન્ય અક્ષરોને લઘુ અથવા હળવા ગણવામાં આવે છે. એ પ્રમાણે પ્રથમ પાંચ પદમાં ૩૨ લઘુ અને ૩ ગુરુ અક્ષર છે. પછીનાં ચાર પદ ચૂલિકાનાં છે. તેના વ્યંજનરહિત ૩૩ અક્ષરો છે. તેમાં ૨૯ લઘુ અને ૪ ગુરુ અક્ષરો છે. પ્રત્યેક ૫૬માં આ દૃષ્ટિએ લઘુગુરુ અક્ષરો કેટલા છે તે જુઓ : (૧) પ્રથમ પદ નમો અરિહંતામાં સાત અક્ષર છે. આ સાતે અક્ષર લઘુ છે. - = (૨) બીજા પદ – નમો સિદ્ધાળમાં પાંચ અક્ષરો છે. તેમાં ચાર લઘુ અક્ષર છે અને એક ગુરુ છે. (૩) ત્રીજા પદ નમો આયરિયામાં સાત અક્ષરો છે. એ સાતે અક્ષર લઘુ છે. જિનતત્ત્વ (૪) ચોથા પદ – નમો વત્ત્તાવાળમાં સાત અક્ષરો છે. તેમાં છ લઘુ અને એક ગુરુ છે. (૫) પાંચમા પદ નમો તો! સવ્વસાહૂળમાં નવ અક્ષર છે. તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. Jain Education International (૬) છઠ્ઠા પદ – તો વંચનમુવારોમાં આઠ અક્ષરો છે. તેમાં સાત લઘુ અક્ષર છે અને એક ગુરુ છે. સવ્વ પાવપ્પાસળોમાં આઠ અક્ષર છે. તેમાં છ લઘુ (૭) સાતમા પદ અને બે ગુરુ અક્ષર છે. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy