SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૩૧ જુઓ : નનો રિહંતાણં નમો સિદ્ધાણં નમો માયરિયાણા - ૩૧ માત્રા નમો ઉવળાયા નો તો સવ્ય[િvil - ૨૭ માત્રા નવકારમંત્રમાં ચૂલિકાનાં ચાર પદ . તે પદ્યબદ્ધ છે. તે અનુષ્ટ્રપ છંદમાં છે. તેને શ્લોક તરીકે (પ્રાકૃતમાં સિલોગો તરીકે) પણ ઓળખાવાય છે. ચૂલિકાનાં પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ અને આઠમો અક્ષર ગુરુ છે. અનુષ્ટ્રપ શ્લોકમાં પ્રત્યેક ચરણના આઠ અક્ષર, એમ ચાર ચરણના બત્રીસ અસર હોય છે. નવકારમંત્રની ચૂલિકાના સિલોગોના ૩૨ને બદલે તેત્રીસ અક્ષર છે; પરંતુ ૩૩ અક્ષરનો શ્લોક પ્રાકૃતમાં પ્રચલિત છે. “હવઇના “ઇને અનક્ષર તરીકે ગણતાં શ્લોકનું માપ બરાબર સચવાય છે. વળી, તેત્રીસ અક્ષર હોવા છતાં શ્લોકના ઉચ્ચારણમાં કશો ફરક પડતો નથી. નવકારમંત્રના પ્રથમ પદ “નમો અરિહંતાણમાં સાત અક્ષરો છે. એ સાત અક્ષરનો પણ વિશિષ્ટ મહિમા બતાવાયો છે. કહેવાયું છે : सप्तक्षेत्रीव सफला सप्तक्षेत्रीव शाश्वती। सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे।। સિાત ક્ષેત્રો (જિન મંદિર, જિન પ્રતિમા, જિનાગમ વગેરે)ની જેમ સફળ અને સાત ક્ષેત્ર(ભરતાદિ)ની જેમ શાશ્વત એવી આ સપ્તાક્ષરી મારા સાત ભયને દૂર કરો] શ્રી “મહાનિશીય સૂત્રના પાંચમા અધ્યયનમાં પણ આ સાત અક્ષરોનો મહિમા દર્શાવાયો છે. જુઓ : नमो अरिहंताणं। सत्तक्खर परिमाणं अणंत गमपज्जवत्थसाहग, सव्व महामंतपवरविज्जाणं परमबीअभूअं। (નમો અરિહંતાણ – એ સાત અક્ષર પ્રમાણ, અનંત ગમ પર્યવયુક્ત અર્થસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.) ઉપદેશતરંગિણી'માં કહ્યું છે : पंचादौ यत्पदानि त्रिभुवनपतिभिर्व्याहता पंचतीर्थी तीर्थान्येवाष्टषष्टिर्जिन समयरहस्यानि यस्याऽक्षराणि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy