SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર જિનતત્ત્વ જાતિસ્મરણ જ્ઞાન થવા માટે સમય કે વ્યક્તિની બાબતમાં કોઈ નિશ્ચિત નિયમો હોતા નથી. જે નિયમ છે તે જ્ઞાનાવરણીય કર્મના અને સાથે સાથે દર્શનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમનો જ છે. તીર્થકરોના સમયમાં, ચોથા આરામાં અનેક લોકોને જાતિસ્મરણ જ્ઞાન થયાના ઉલ્લેખો મળે છે. વર્તમાન સમયમાં એ જ્ઞાન થવાનો સંભવ ઘટતો ગયો છે. શ્રીમદ્ રાજચંદ્રને એ જ્ઞાન થયું હતું તે ઘટના સુપ્રસિદ્ધ છે. કાળના પ્રભાવના કારણે જીવોની તે માટેની યોગ્યતા ઘટતી ગઈ છે. એટલે આવી ઘટના વિરલ બનતી હોવાને કારણે એની વાત સાંભળતાં અનેક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે. જૈન માન્યતા પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન એ એક પ્રકારનું માત્ર મતિજ્ઞાન જ છે. તે ઇન્દ્રિયાતીત જ્ઞાન નથી કે અતીન્દ્રિય ચમત્કાર નથી. એ કોઈ દેવદેવીઓએ કરેલો ચમત્કાર પણ નથી કે ભગવાનનો સાક્ષાત્કાર નથી. એટલે જૈન ધર્મમાં એ જ્ઞાનનું જેમ એક અપેક્ષાએ ઘણું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ અન્ય અપેક્ષાએ એનું બહુ મૂલ્ય આંકવામાં આવતું નથી. એ જ્ઞાન જવલ્લે જ કોઈકને થાય છે માટે લોકોને તે ચમત્કારરૂપ ભાસે છે. - જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે વ્યક્તિ અચાનક અસંબદ્ધ બોલતી હોય તેવું આસપાસના લોકોને લાગે છે. એમાં જો કંઈ સાબિતી મળે કે કંઈ અણસાર મળે તો તેવી વાત પ્રસરે છે. અનેક લોકોને એ વાતની જિજ્ઞાસા થાય છે પરંતુ લોકો તેવી વ્યક્તિને પ્રશ્નો પૂછી પૂછીને એના ચિત્તને થકવી નાખે છે. અને પરિણામે એના જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. એથી કેટલીક વાર તેનું જ્ઞાન વહેલું ચાલ્યું જાય છે. પરિણામે જાતિસ્મરણ જ્ઞાન થાય તે જીવને તે જ્ઞાન આત્મસાધનામાં ઉપકારક નીવડતું નથી. જે જીવને જાતિસ્મરણ જ્ઞાન થાય તે જીવ તેનો બહુ બાહ્ય ઉપયોગ ન કરતાં એકાંતમાં રહીને જો પોતાના આત્મામાં જ તેનો ઊહાપોહ વધારે તો તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. એને પોતાના પૂર્વભવનું વધુ અને વધુ દર્શન થાય છે. વળી જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે જીવ વધુ નિર્મળ બને છે અને તે જ્ઞાન તેને આત્મસ્વરૂપનું ભાન કરાવી તેની આત્મસાધનામાં ઉપકારક નીવડે છે. એટલા માટે જ પોતાને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાની ઘણી જાહેરાત આત્માર્થીઓ માટે ઉપયોગી મનાતી નથી. જાતિસ્મરણ જ્ઞાન થયું હોય એવી કેટલીક વ્યક્તિઓ અચાનક પૂર્વભવની ભાષા બોલવા લાગે છે. કેટલીક વખત પૂર્વભવની કોઈ ચેષ્ટા પણ કરવા લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy