SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૭૩ છે. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે “જેમ બાલ્યાવસ્થાને વિશે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે, ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે, અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહિ; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને અને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને, પૂર્વે પાયાની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી; તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ. તેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે. તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને લયોપશમ આદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો જાતિસ્મરણ જ્ઞાન થાય.” જાતિસ્મરણ જ્ઞાન ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ થતું હોવાને કારણે જે જીવને એ જ્ઞાન થાય તે જીવને પોતાના પૂર્વના એક અથવા વધારે ભવનું સ્મરણ થાય છે. એ ભવોમાં પણ પોતે અસંશી જીવ તરીકે એટલે કે કીડી, વાંદો, મચ્છર, સૂક્ષ્મ જીવાણુ ઇત્યાદિ કે વનસ્પતિ એકેન્દ્રિય જીવ તરીકે જે ભવ કર્યા હોય તે ભવનું સ્મરણ ન થાય. જાતિસ્મરણ જ્ઞાન એકંદરે તો કોઈ એક પ્રસંગે એકાદ વ્યક્તિને થાય, પરંતુ ક્યારેક તે જ્ઞાન એકસાથે એકથી વધુ વ્યક્તિને પણ ઉત્પન્ન થાય. પૂર્વના ભવની સામુદાયિક ઘટના એવી રીતે બની હોય અને વર્તમાન ભવમાં તેવા કેટલાક જીવોનો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ એવો સારો હોય છે તેવી બધી વ્યક્તિને એકસાથે પૂર્વના ભવથી તે ઘટનાનું સ્મરણ થાય. એના સુપ્રસિદ્ધ ઉદાહરણ તરીકે મલ્લિકુંવરીના (મલ્લિનાથના) જીવનનો પ્રસંગ છે. મલ્લિકુંવરીના પૂર્વના જન્મના છ મિત્રો વર્તમાન ભવમાં જુદા જુદા નગરના રાજકુમાર થયા હતા. મલ્લિકુમારીને પરણવા એ છ રાજકુમારો જ્યારે આવ્યા ત્યારે મલ્લિકુમારીએ અશુચિ ભાવના સમજાવીને પૂર્વભવની વાત કહી. એ સાંભળી છયે રાજકુમારોને એક જ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy