SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૭૧ કેટલીક વાર માણસ એક સ્થળેથી બીજે સ્થળે જાય છે ત્યારે પોતે ક્યાંથી આવ્યો તેનું સ્મરણ રોગ વગેરેને કારણે; ઉન્માદ, મતિભ્રમ વગેરેને કારણે; ભૂતપ્રેત વગેરેના વળગાડને કારણે થતું નથી. તેવી રીતે ‘હું કોણ છું ?’ ‘હું ક્યાંથી આવ્યો ?’ ‘હું ક્યારે આવ્યો ?’ ‘હું કયા કારણે આવ્યો ?' ‘હું પૂર્વભવમાં કોણ હતો ?' – વગેરેનું સ્મરણ જીવને થતું નથી. - કેટલાક જીવોને દેહાધ્યાસ બહુ ઓછો હોય છે. અંતસમયે પણ દેહની કે અન્ય સાંસારિક વાસનાઓ કે આસક્તિ તેમને હોતી નથી. તેઓનું આત્મામાં લીનપણું વિશેષ હોય છે. તેવા નિર્મળ જીવોના જ્ઞાનના સંસ્કાર કેટલેક અંશે સચવાઈ રહે છે. એવા જીવોને જન્માન્તરમાં જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમને લીધે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પરંતુ એવી વ્યક્તિઓ હજારો-લાખોમાં કોઈક જ હોય છે. હરિભદ્રસૂરિ ‘યોગબિન્દુમાં કહે છે : ब्रह्मचर्येण तपसा सद्वेदाध्ययनेन च । विद्यामन्त्रविशेषेण सत्तीर्थासेवनेन च ।। पित्रोः सम्यगुपस्थानाद् ग्लानभैषज्यदानतः । देवादिशोधनाच्चैव भवेज्जातिस्मरः पुमान् ।। (‘યોગબિન્દુ', શ્લોક ૫૭-૫૮) બ્રહ્મચર્ય વડે, તપ વડે, સત્યવેદના અધ્યયન વડે, વિદ્યામંત્રવિશેષથી, સત્યતીર્થના સેવનથી, પૂજ્ય માતા-પિતા વગેરે ઊંચા સ્થાને રહેલાની સેવાભક્તિ કરવાથી, ગ્લાન વૃદ્ધોને દવા વગેરે આપવાથી, દેવગુરુધર્મની શુદ્ધિ કરવાથી (ધર્મસ્થાનકોનો ઉદ્ધાર કરવાથી) ભવ્યાત્માઓને જાતિસ્મરણ થાય છે એટલે કે પૂર્વભવનું જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન જીવની નિર્દોષ અને નિર્મળ અવસ્થામાં પ્રગટ થાય છે. સામાન્ય રીતે આવી અવસ્થા બાલ્યકાળમાં વિશેષ હોય છે, એટલે બાલ્યકાળમાં જાતિસ્મરણ જ્ઞાન થવાની ઘટનાઓ વિશેષ જોવા મળે છે. આમ છતાં આ જ્ઞાન માત્ર બાલ્યકાળમાં જ થાય એવું નથી. સદાચાર, સત્સંગ, સ્વાધ્યાય, આત્મચિંતન, આરાધના વગેરે દ્વારા પ્રાપ્ત થયેલી આત્માની નિર્મળતાથી કિશોરવયે કે યુવાનવયે કે મોટી ઉંમરે પણ જાતિસ્મરણ જ્ઞાન થવાની ઘટના નોંધાયેલી જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy