SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જિનતત્ત્વ જ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાનમાં તો ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળનું પોતપોતાની સ્થળ અને કાળની સીમા અનુસાર જ્ઞાન થાય છે. એટલે જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો કોઈ પ્રકાર નથી એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. અવધિજ્ઞાનમાં વ્યક્તિ પોતે ઉપયોગ મૂકે ત્યારે તેને તે જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાનમાં, અવધિજ્ઞાનની જેમ, એ રીતે ઉપયોગ મૂકવાની વાત સામાન્ય રીતે હોતી નથી. જીવના જ્ઞાનની વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે. એમાં સ્મૃતિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે કંઈ જ્ઞાન આપણે મેળવ્યું તે બધું જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જીવનપર્યત ટકી રહે એવું હોતું નથી. એક સમયે મોટા જ્ઞાની તરીકે વિખ્યાત બનેલા મહાત્માઓને પણ વૃદ્ધાવસ્થામાં અનેક વાતોનું વિસ્મરણ થાય છે. યુનિવર્સિટીઓનું પ્રમાણપત્ર મેળવનાર વ્યક્તિઓનું તો તે વિષયનું જ્ઞાન, જો મહાવરો ન હોય તો ઝાંખું થઈ જાય છે. એક જન્મમાં ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય તો પણ બીજા જન્મમાં જીવને નવેસરથી શરૂઆત કરવાની રહે છે. અલબત્ત એમાં પૂર્વેનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એને કામ લાગે છે. તો પણ ભાષા શીખવાથી માંડીને જ્ઞાન સંપાદન કરવાની બધી ક્રિયા તેને ફરીથી કરવી પડે છે. જન્મ અને મૃત્યુ એ બે એવી મોટી ઘટનાઓ છે કે જેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણોબધો વધી જાય છે અને જેમ દેહાધ્યાસ વધુ તેમ જ્ઞાનનો ઉઘાડ ઓછો. મૃત્યુ વખતે વેદના, આસક્તિ વગેરેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણો વધી જાય છે અને ત્યાર પછી નવા ગર્ભવાસનું દુ:ખ પણ ઓછું નથી હોતું. એટલે નવો જન્મ થતાં મગજની પાટી ફરીથી કોરી થઈ જાય છે. એટલે જ જીવોને સામાન્ય રીતે પૂર્વના ભવનું જ્ઞાન એટલે કે જાતિસ્મરણ જ્ઞાન થતું નથી. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે જાતિસ્મરણ જ્ઞાન બધાંને કેમ થતું નથી ? હરિભદ્રસૂરિ “યોગબિન્દુમાં એ માટે લખે છે : न चैतेषामपि हयेतदुन्मादग्रहयोगतः । सर्वेषामनुभूतार्थ स्मरणं स्यादिव शेषतः।। આમાં પણ જીવોને જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ઉદયને કારણે, ઉન્માદ અથવા ગ્રહ વગેરેના વળગાડથી અને એવા બીજા પ્રકારના બાહ્ય તેમજ અંત:કરણના યોગથી પૂર્વભવ સંબંધી અનુભવેલા અર્થોનું સ્મરણ વિશેષ પ્રકારે થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy