SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મરણ જ્ઞાન ૨૬૯ પણ બતાવવામાં આવે છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા (પ્રત્યભિજ્ઞાન), ચિન્તા (તર્ક), અભિનિબોધ વગેરે એકબીજાના પર્યાયવાચી શબ્દ તરીકે પણ વપરાય છે. સ્મૃતિનો સમાવેશ ધારણામાં થઈ જાય છે. ધારણા એટલે પોતાના જોયેલા, સાંભળેલા કે અનુભવેલા પદાર્થોને કે વિચારોને ચિત્તમાં ધારણ કરી રાખવાની કે સંગ્રહી રાખવાની શક્તિ. આ શક્તિ ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. જાતિસ્મરણ જ્ઞાન એ ધારણાનો જ એક પ્રકાર હોવાથી તે જ્ઞાન સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ થાય છે. કીડી, માખી, ઈયળ વગેરેને ધારણાશક્તિ નથી હોતી એટલે કે સ્મૃતિ નથી હોતી. મનુષ્ય અને કેટલાંક પ્રાણીઓને સ્મૃતિ હોય છે અને સ્મૃતિના આધાર ઉપર રહેલી તાલીમ પણ તેમને આપી શકાય છે. ઘોડો, રીંછ, સિંહ, હાથી વગેરે સર્કસનાં પ્રાણીઓને અથવા કૂતરું, ગાય, બળદ, બકરી વગેરે પાળેલાં પ્રાણીઓને અમુક કરવું અને ન કરવું એની તાલીમ એમની ધારણાશક્તિ પ્રમાણે આપી શકાય છે. પ્રાણીઓ કરતાં મનુષ્યની ધારણાશક્તિ ઘણી વિશેષ હોય છે. કેટલીક વાર જાતિસ્મરણ જ્ઞાન કશા જ નિમિત્ત વગર થાય છે, તો કેટલીક વાર પૂર્વભવમાં કોઈ પદાર્થની કે વ્યક્તિની જોયેલી આકૃતિનો અણસાર મળતાં કે અમુક શબ્દો સાંભળતાં એકદમ મતિજ્ઞાન ઉપરનું આવરણ હઠી જાય છે અને પૂર્વભવ સ્પષ્ટ રૂપે ભાસે છે. આમ જાતિસ્મરણ જ્ઞાન સનિમિત્તક અને અનિમિત્તક એમ બે પ્રકારનું છે. “અભિધાન રાજેન્દ્રકોશ'માં કહ્યું છે : जातिस्मरणं द्विविधम् - सनिमित्तकं, अनिमित्तकं च। तत्र यद् बाह्यं निमित्तमुद्दिश्य जातिस्मरणमुपजायते तत्सनिमित्तकम् । यथा वल्कलचीर - प्रभृतीनाम् । यत्पुनरेव तदावारककर्मणां क्षयोपशमेनोत्पद्यते तदनिमित्तकं यथा स्वयंबुद्धकपिलादीनाम् । જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી. એ બંને જુદા જુદા પ્રકારનાં જ્ઞાન છે. અવધિજ્ઞાન જાતિસ્મરણ કરતાં ઘણું ચડિયાતું જ્ઞાન છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય તેવી વ્યક્તિ દૂરના કોઈ સ્થળ અને એવી વ્યક્તિઓ વિષે બોલવા લાગે છે. એમાં વર્તમાનની તત્કણ બનતી જતી ઘટનાઓની વાત હોતી નથી, પરંતુ પૂર્વે બની ગયેલી ઘટનાનું સ્મરણ હોય છે. અને તે પણ કોઈ નિશ્ચિત સ્થળ અને સમય પૂરતું મર્યાદિત હોય છે. વળી જેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે તેને પૂર્વના ભવનું સ્મરણ થાય છે, પરંતુ તેને ભાવિ વિશે કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy