SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જિનતત્ત્વ જૈન ધર્મમાં પાંચ પ્રકારનાં જ્ઞાન બતાવવામાં આવ્યાં છે : (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. આ પાંચ પ્રકારનાં જ્ઞાનમાંથી કોઈ પણ ગતિના જીવને ઓછેવત્તે અંશે મતિજ્ઞાન અવશ્ય હોય છે. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ પ્રકાર છે એમ જૈન ધર્મ માને છે. જૈન માન્યતા અનુસાર મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારેય ગતિમાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે. તિર્યંચ ગતિમાં ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ (પાંચે ઇન્દ્રિય તથા મનવાળા જીવને જ) જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે. અસંજ્ઞી જીવોને ઉ. ત., કીડી, વાંદો, મચ્છર, પતંગિયું, માખી, ઈયળ વગેરે જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય નહિ, કારણ કે મતિજ્ઞાનનો એ પ્રકાર હોઈ જેને સંજ્ઞા (દ્રવ્ય મન) હોય તે જીવને જ આ જ્ઞાન થાય. જાતિસ્મરણ જ્ઞાન મુખ્યત્વે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. એ ચિત્તનો એક વિશિષ્ટ પ્રકારનો ઉઘાડ છે. આ ઉઘાડ દરેકને એકસરખો હોતો નથી અને દરેકને ચિરકાલીન રહેતો નથી. વળી, આ જ્ઞાનનો પ્રકાશ કાયમ એકસરખો પણ રહેતો નથી. એમાં વધઘટ થવાનો સંભવ રહે છે. કેટલાકને કેટલાક દિવસ સુધી એ જ્ઞાન રહે છે અને પછી કાયમને માટે ચાલ્યું જાય છે; કેટલાકને તે વધુ સમય રહે છે. મતિજ્ઞાનમાં જેમ સ્મૃતિ છે એમ વિસ્મૃતિ પણ છે. એટલે જાતિસ્મરણ જ્ઞાનને વિષે સ્મૃતિ અને વિસ્મૃતિ બંનેનો સંભવ રહે છે. મતિજ્ઞાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. “અવગ્રહ એટલે “આ કંઈક છે' એવો સ્પષ્ટ ભાસ થવો. “આ શું છે ? એ જાણવા માટે ચિત્તમાં ઊહાપોહ થવો અને કંઈક અસ્પષ્ટ નિર્ણય થવો તેનું નામ “ઈહા.” “ આ શું છે ?' તે વિશે વિશેષ વિચાર થવો અને તે આ જ છે' એવો સ્પષ્ટ નિર્ણય થવો તેનું નામ “અવાય.” જે નિર્ણય થયો હોય તે ચિત્તમાં દૃઢપણે અંકિત થઈ જાય અને કેટલાક સમય સુધી ટકી રહે તેનું નામ “ધારણા.” આમ ઇન્દ્રિયો અને મન દ્વારા શબ્દ, રસ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે વિષયોમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એમ એના ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે. જુદી જુદી દષ્ટિએ મતિજ્ઞાનના ચાર, ચોવીસ, બત્રીસથી માંડીને ૩૮૪ જેટલા ભેદપ્રભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy