SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મરણ જ્ઞાન પૂર્વજન્મની સ્મૃતિ થઈ.) જાતિસ્મૃતિ જ્ઞાન ઉત્પન્ન થતાં મહર્દિક મૃગાપુત્રને પૂર્વજન્મ અને પૂર્વકૃત સાધુપણાની સ્મૃતિ થઈ આવી. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં જ એની વિષયોની આસક્તિ તરત નીકળી ગઈ અને એણે દીક્ષા લેવાની પોતાની ઇચ્છા માતાપિતા પાસે દર્શાવી. મૃગાપુત્રનું વૃત્તાન્ત આ પ્રમાણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં વર્ણવવામાં આવ્યું છે. જૈન પરંપરામાં જાતિસ્મરણની અન્ય ઘટનાઓ પણ નોંધાયેલી છે. ઋષભદેવના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તદુપરાંત મલ્લિકુંવરીએ અશુચિ ભાવના સમજાવવાથી રાજકુમારોને, અભયકુમારે મોકલાવેલી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોતાં આર્દ્રકુમારને, ફૂલોનો ગુચ્છ જોતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને, ‘દીક્ષા' શબ્દ સાંભળતાં વજસ્વામીને અને આર્યસુહસ્તિસૂરિને જોતાં સંપ્રતિ મહારાજને જાતિસ્મરણ જ્ઞાન થયાનાં ઉદાહરણો પણ નોંધાયેલાં છે. ૨૬૭ તિર્યંચ ગતિના જીવોને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના જીવનના પ્રસંગમાં તે જોવા મળે છે. પોતે પ્રતિષ્ઠાનપુરમાં હતા તે વખતે એક અશ્વને પ્રતિબોધ પમાડવા માટે તેઓ વિહાર કરી પ્રતિષ્ઠાપુરથી ભરૂચ પધાર્યા અને ત્યાં લોકોને દેશના આપી. એ સમયે યજ્ઞ માટે લાવેલા ઘોડાએ એ દેશના સાંભળી. પ્રભુને જોતાં અને પરિચિત ઉપદેશ સાંભળતાં ઘોડાને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એવી રીતે ભગવાન મહાવીરના શબ્દો સાંભળતાં ચંડકૌશિક સર્પને પૂર્વભવનું જ્ઞાન થયું હતું. તિર્યંચ ગતિમાંથી મનુષ્યજન્મમાં આવેલા જીવોને પોતાના તિર્યંચ ભવનું પણ જ્ઞાન થાય છે. ભરૂચમાં નર્મદા નદીને કાંઠે વૃક્ષમાં માળો બાંધી એક સમળી રહેતી હતી. એને એક દિવસ કોઈ એક મ્લેચ્છે બાણ મારી ધરતી ઉપર પાડી. તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક મુનિએ એ તરફડતી સમળીને જોઈને એને નવકારમંત્ર સંભળાવ્યો. સમળીએ એ નવકારમંત્ર બહુ ધ્યાનથી સાંભળી દેહ છોડ્યો. મૃત્યુ પામીને સમળી સિંહલદ્વીપની રાજકુમારી થઈ. એક વખત રાજસભામાં છીંક આવતાં ઋષભદત્ત નવકારમંત્રનું પહેલું પદ ‘નમો અરિહંતાણં’ બોલ્યા. એ સાંભળતાં જ રાજકુમારીને થયું કે પોતે આવું ક્યાંક સાંભળ્યું છે. તરત એવી ચિંતનધારાએ ચડી જતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એવી રીતે ભગવન મહાવીરના સમજાવ્યાથી મેઘકુમારને પોતાના હાથીના ભવનું જ્ઞાન થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy