SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જિનતત્ત્વ મોક્ષમાર્ગ પર દઢ રહેવામાં સહાયભૂત બને છે. અજ્ઞાની જીવને ખબર નથી હોતી કે ભવાત્તરમાં પોતાને ક્યાં ક્યાં, કેવી રીતે રખડવાનું આવશે. કોઈક ભવમાં મનુષ્યજન્મ પ્રાપ્ત થયો હોવા છતાં આખો અવતાર મિથ્યાત્વના અંધકારમાં પૂરો થઈ જાય છે. એટલા માટે ભવોભવ તીર્થંકર પરમાત્માનું શરણ પોતાને સાંપડે એવું પ્રશસ્ત નિયાણ અમુક કક્ષાના જીવોને માટે ઇષ્ટ ગણાયું છે. “જયવીયરાય' નામના સ્તોત્રમાં વીતરાગ પ્રભુની સ્તુતિમાં કહેવાયું છે : वारिज्जइ जइ वि नियाणबंधणं वीयराय तुह समये । तहवि मम हुज्ज सेवा भवेभवे तुम्ह चलणाणं ।। હિં વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તો નિયાણુ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ હે પ્રભુ ! ભવોભવ તમારાં ચરણોની સેવા કરવાનું સદ્ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું.] આ નિયાણુ પ્રશસ્ત છે. જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું આ નિયાણું છે. આવું પ્રશસ્ત નિયાણ કેટલીક અપેક્ષાએ દોષરૂપ ગણાતું નથી. અલબત્ત એથી ઉચ્ચતર સ્થિતિ તો એ જ છે કે નિયાણું બાંધ્યા વગર પણ જીવાત્મા પોતાના સમ્યક દર્શન અને સભ્ય જ્ઞાન વડે મોક્ષમાર્ગ પર સ્વયમેવ દઢ રહી શકે; પરંતુ એમ બનવું તે કોઈક વિરલ આત્માઓ માટે જ શક્ય છે. બધા જીવો માટે એ શક્ય કે સરળ નથી. નિયાણુ ન કરવા છતાં રત્નત્રયીના સાચા આરાધકને અન્ય જન્મમાં માનવદેહ, પુરુષત્વ, સુગુરુનો યોગ, સંયમની આરાધના વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે : पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलोए । ' आराधस्स णियमा तत्थमकदे णिदाणे वि ।। [નિયાણુ ન કરવા છતાં આરાધકને અન્ય ભવમાં પુરુષત્વ ઇત્યાદિ સંયમલાભ અવશ્ય થાય છે.] શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શલ્ય બતાવવામાં આવ્યાં છે : માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટો. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની જેમ ભોંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, તેવી રીતે નિયાણુ માણસને પોતાની ઇચ્છા પ્રમાણે ભોગ વગેરેની પૂર્તિ જોકે કરાવે છે, તો પણ અંતે તો શલ્ય જ છે, કારણ કે એથી નિકાચિત કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy