SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણુ ૧૫ કોણ ? એ પ્રશ્નના જવાબમાં ચક્રવર્તી રાજાથી માંડીને ભિખારી સુધીની તમામ અવસ્થાઓ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ કે ઓછી સુખી લાગવાનો સંભવ છે. કાશીએ કરવત મુકાવવા ગયેલા કોઈક દુઃખી મોચીને ‘ભવાન્તરમાં તારે શું થવું છે ?’ એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યક્તિઓનાં જીવનનો એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુ:ખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે મોચી જેવું કોઈ સુખી જીવન નથી. માટે એણે કહ્યું, ‘મેલ કરવત ! મોચીના મોચી.’ - જેઓ ભોગત નિયાણુ બાંધે છે તેઓની આરાધના નિષ્ફળ જાય છે. એવાં મનુષ્યો, સર્વ દુઃખરૂપી રોગનો નાશ કરનાર એવા સંયમનો ભોગકૃત નિયાણુ દ્વારા નાશ કરે છે. કોઈક વખત પોતાના તપના ફળરૂપે આત્મવિકાસમાં સહાયરૂપ અને પુરુષત્વ, શરીરબળ, વજવૃષભનારાચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિયાણુ તે પ્રશસ્ત નિયાણુ કહેવાય છે. ‘મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ’, ‘મને હમેશાં તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો', ‘મારાં કર્મોનો ક્ષય થઓ’‘મારાં દુઃખોનો ક્ષય થાઓ’, ‘મને સમ્યક્બોધિ પ્રાપ્ત થાઓ', ‘મને સમાધિમરણ સાંપડો' ઇત્યાદિ પ્રકારનાં નિયાણુ તે પ્રશસ્ત નિયાણુ ગણાય છે. અલબત્ત આ નિયાણુ પણ અંતે તો શલ્યરૂપ છે. ગૌતમસ્વામીનો ભગવાન મહાવીરસ્વામી પ્રત્યેનો રાગ પ્રશસ્ત હતો પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હતો, તેવી રીતે પ્રશસ્ત નિયાણુ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. તેથી આવું શુભ નિયાણુ પણ અભિમાનને વશ થઈ, માનકષાયથી પ્રેરાઈને, દ્વેષ કે ઈર્ષ્યાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એવો કોઈ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણુ પ્રશસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે. તીર્થંકર, ગણધર, આચાર્ય વગેરે બનવાની અભિલાષામાં જો સૂક્ષ્મ માનકષાય રહેલો હોય તો તે માટેનું નિયાણુ પણ અપ્રશસ્ત બની જાય છે. - माणेण जाइकुलरुवमादि आइरियगणधरजिणत्तं । सोभग्गाणादयं पत्थंतो अप्पसत्थं તુ || પ્રશસ્ત નિયાણુ સમ્યક્ ભાવથી અને સાચી દષ્ટિથી જો બંધાયું હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy