SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણુ નિયાણુ ક૨વામાં જે કર્મબંધન થાય છે તે ભલે શુભ કે અશુભ પ્રકારનાં હોય પણ તે નિકાચિત કર્મ હોય છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. એટલા માટે નિયાણુ આત્મવિકાસમાં – મુક્તિ પ્રાપ્ત ક૨વામાં – પ્રતિબંધક બને છે. જેઓ નિયાણુ કરે છે તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તો પણ તે ચાલ્યાં જાય છે. માટે જ સાચા મુમુક્ષુ મુનિઓ ક્યારેય નિયાણુ બાંધતા નથી. - ૧૭ એક પ્રશ્ન એવો થાય છે કે શું નિયાણુ હમેશાં સફળ જ થાય ? કોઈ વખત નિષ્ફળ ન જાય ? એનો ઉત્તર એ છે કે જો તે નિયાણુ હોય તો અવશ્ય ફળ આપે અને જો તે સફળ ન થાય તો તે નિયાણુ નથી, માત્ર અભિલાષા છે. માણસો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાનો ઉત્કૃષ્ટ યોગ હોય તો તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા બને છે. કેટલીક વખત માણસની તપશ્ચર્યા કાયાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા ઉચ્ચતમ ભાવો ન પણ જોડાયા હોય; કેટલીક વખત મનના ઉચ્ચતમ ભાવો હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપશ્ચર્યા ન પણ હોય. પોતાની તપશ્ચર્યા કેવી થઈ રહી છે તે બીજાંઓ કરતાં માણસને પોતાને વધારે સમજાય છે, પરંતુ કેટલીક વખત તપશ્ચર્યા વખતે મન, વચન અને કાયાના યોગોની ઉત્કૃષ્ટતા કેટલી છે તેની ખુદ પોતાને પણ ખબર નથી પડતી. એટલે તપશ્ચર્યા સાથે પોતે કરેલો સંકલ્પ નિયાણુમાં પરિણમ્યો છે કે નહિ તેની કેટલીક વાર ખુદ પોતાને પણ ખબર પડતી નથી. વળી ઇન્દ્રિયાર્થ પદાર્થોનો યોગ, અનુભવ, વાસના, સ્મરણ, સંકલ્પ, ભાવના, ધ્યાન, અભિલાષા ઇત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત્ત પસાર થાય છે. એટલે દરેક ઇચ્છા એ નિયાણુ નથી. પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષ સહિત કરેલો દૃઢ સંકલ્પમાત્ર નિયાણુ બને છે. પ્રસંગ સાંપડ્યો હોય છતાં પણ નિયાણુ ન બાંધે એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘોર તપશ્ચર્યા થઈ હોય ત્યારે દેવો આવીને તેવા તપસ્વીઓની કંઈ ઇચ્છા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ રાજર્ષિ જેવા મહાત્માઓએ પોતાના તપને વટાવી ખાવાનો ઇન્કાર કર્યો હતો. ભગવાન મહાવીરસ્વામીને, કેવળજ્ઞાન થયું તે પૂર્વે સંગમદેવે પણ એવી વિનંતી કરી હતી. પરંતુ મહાવીરસ્વામીએ તેનો અસ્વીકાર કર્યો હતો. તપ દ્વરા જે કર્મની નિર્જરા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy