SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જિનતત્ત્વ સાધન તે બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા ક્યારેય નિષ્ફળ જતી નથી; પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. અમુક સિદ્ધિઓ મનુષ્યને આવા પ્રકારનાં કોઈક ને કોઈક તપને પરિણામે મળતી હોય છે. આવી સિદ્ધિ વગર-ઇચ્છાએ, એની પોતાની મેળે મળે તેવું પણ ઘણી વાર બને છે. કોઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને એ રીતે પણ તે પ્રાપ્ત થાય છે. કેટલીક વખત કોઈક વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા શરૂ કરે છે અથવા તપશ્ચર્યા કરતાં કરતાં કે કર્યા પછી તેના ફળરૂપે માણસ કોઈક ઇચ્છાનું ચિત્તમાં સેવન કરે છે. તપના બદલામાં કોઈક ફળ ઇચ્છવું તેને નિયાણુ' કહે છે. “નિયાણું બાંધવું” અથવા “નિયાણુ કરવું” એવો રૂઢ પ્રયોગ વપરાય છે. નિયાણ બાંધવાનો કે કરવાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યો છે, કારણ કે નિયાણ બાંધવાથી તેનું ફળ જોકે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે – વિશેષત: જે અશુભ કર્મો બંધાય છે - એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું કારણ બને છે. નિયાણુ ત્રણ પ્રકારનાં ગણાવવામાં આવ્યાં છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભોગકત નિયાણ અને (૩) અપ્રશસ્ત નિયાણુ. તપના ફળરૂપે સાધુપણું, બોધિલાભ, સમાધિમરણ, ઇત્યાદિ સંયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી એ પ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે સ્ત્રી-પુત્રાદિકની ઇચ્છા કરવી, ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષા કરવી, ચક્રવર્તી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભોગત નિયાણું છે. તપના ફળરૂપે કોઈકને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની, કોઈકને તન કે ધનની હાનિ પહોંચાડવાની કે કશાકનો વિનાશ કરવાની ઇચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે વિશેષપણે જીવો ભોગકત નિયાણ બાંધે છે. તપના ફળરૂપે ભોગપભોગ ભોગવવાની ઇચ્છા માણસને વધુ થાય છે, કારણ કે મોક્ષપ્રાપ્તિનું પોતાનું લક્ષ્ય ભૂલી જઈને, સંસારમાં પોતાના કરતાં વધુ સાંસારિક સુખો ભોગવતા જીવોને જોઈને તેવું સુખ ભોગવવા જીવ લલચાય છે. એને પરિણામે ધનસંપત્તિ, ભોગોપભોગનાં સાધનો, સ્ત્રી-પુત્રાદિક પરિવાર, સત્તા, કીર્તિ વગેરેની અભિલાષા તીવ્ર બનતાં ક્યારેક સભાનપણે, તો ક્યારેક અભાનપણે નિયાણું બંધાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy