SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણુ ‘નિયાણુ’ એ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘નિવાન’ શબ્દ ઉપ૨થી તે આવેલો છે. પ્રાકૃતમાં ‘નિયાણ’ અથવા ‘નિયાણુ’ શબ્દ વપરાય છે. નિદાન શબ્દના બે અર્થ છે : (૧) નિદાન એટલે પૃથક્કરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. જૈન શાસ્ત્રોમાં ‘નિયાણુ' શબ્દ નિશ્ચિત દાનના અર્થની દૃષ્ટિએ પ્રયોજાયેલો છે. પરંતુ અહીં તે સ્થૂલ કોઈ દ્રવ્યના દાનના અર્થમાં વપરાયો નથી. ચિત્તનું દાન યર્થાત્ કોઈ પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું તે અર્થમાં ‘નિદાન’, ‘નિયાણ’, ‘નિયાણુ’ શબ્દ વપરાયો છે. નિશ્વિતં दानं इति निदानं । अथवा भोगाङ्काक्षया नियतं दीयते चित्तं तस्मिंस्तेनेति वा નિવાનમ્। એવી વ્યાખ્યા ‘નિવન’ શબ્દની અપાય છે. ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊઠે છે અને વિવિધ પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઇચ્છાઓને કોઈ અંત હોતો નથી. ઇન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભોગવવાની ઇચ્છા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક ભોતિક સુખ સહજ પ્રાપ્ત થાય છે; કેટલાંક સુખ માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ક્યારેક પુરુષાર્થ કર્યા વગર જ પ્રાપ્ત થતાં સાંસારિક સુખો તે પૂર્વનાં સંચિત પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં પણ કોઈક નિયમ પ્રવર્તતો હોય છે અને તે નિયમ છે કર્મનો. કોઈક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય અને બીજી બાજુ ચિત્તમાં સુખોપભોગની તીવ્ર અભિલાષા જન્મતી હોય એવું બને છે. કોઈક વખત ઉપાર્જિત શુભ કર્મના ઉદયરૂપે એ અભિલાષા સંતોષાય છે. કર્મની નિર્જરા અને શુભ કર્મના ઉપાર્જન માટેનું મોટામાં મોટું એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy